મહેલ 12 લાખ વર્ગ ફૂટથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલો છે
ભારત રાજા અને મહારાજાઓનો દેશ રહ્યો છે. જ્યાં એકથી એક ચઢીયાતા પ્રતાપી અને ધનવાન રાજાઓ રહ્યાં છે. જેમની સંપતિ આજનાં સમયમાં કરોડો-અબજોમાં છે. એમાંથી એક રાજ હતા જયાજીરાવ સિંધિયા, જે ગ્વાલિયરનાં રજવાડાનાં મહારાજા હતા. જેમણે ઐતિહાસિક જયવિલાસ મહેલ બનાવડાવ્યો હતો. આજે આ મહેલમાં કેન્દ્રિય મંત્રી રહી ચુકેલા જ્યોતિરાદિત્ય સિંધિયા રહે છે. જેઓ ગ્વાલિયર રજવાડાનાં અંતિમ મહારાજા જીવાજીરાવ સિંધિયાનાં પૌત્ર છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જે જય વિલાસ મહેલમાં રહે છે તે 12 લાખ વર્ગ ફૂટથી પણ વધારે મોટો છે.
400થી વધારે રુમ છે
મહારાજા જયાજીરાવ સિંધિયાએ વર્ષ 1874માં જયવિલાસ મહેલ બનાવડાવ્યો હતો. ત્યારે તેની કિંમત 1 કરોડ રુપિયાની આસપાસ હતી, પણ આજે આ શાનદાર અને આલીશાન મહેલની કિંમત 4,000 કરોડ રુપિયાની આસપાસ છે. આ મહેલમાં 400થી વધારે રુમ છે.
30થી વધારે રુમમાં સંગ્રહાલય
જયવિલાસ મહેલ ફક્ત સિંધિયા રાજપરિવારનું વર્તમાન નિવાસસ્થાન જ નહીં પણ એક ભવ્ય સંગ્રહાલય પણ છે. આ મહેલમાં 30થી વધારે રુમમાં સંગ્રહાલય બનાવવામાં આવ્યા છે. મહેલનો મોટાભાગનો હિસ્સો ઇટાલિયન સ્થાપત્યથી પ્રભાવિત છે. જેમાં ઈટાલી ઉપરાંત ફ્રાંસ, ચીન અને અન્ય ઘણાં દેશોની દુર્લભ કલાકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હજારો ટનનાં બે ઝૂમર
જયવિલાસ મહેલનાં સંગ્રહાલયમાં બે મોટા ઝૂમર લાગેલા છે. જેનો વજન હજારો ટન છે. આ ઝૂમર પર્યટકોને આકર્ષિત કરે છે. કહેવામાં આવે છે કે ઝૂમરને લટકાવવા માટે 10 હાથીઓને છત પર ચઢાવીને છતની મજબૂતી માપવામાં આવી હતી. ત્યારબાદ તેને લટકાવવામાં આવ્યા હતા.
ચાંદીની રેલથી પીરસાય છે ખાવાનું
જયવિલાસ મહેલનાં સંગ્રહાલયની વધુ એક પ્રસિદ્ધ વસ્તુ છે, જે લોકોનું મન મોહી લે છે અને તે છે ચાંદીની રેલ, જેના પાટા ડાઈનિંગ ટેબલ પર લગાવવામાં આવ્યા છે. વિશિષ્ટ દાવત માટે આ રેલ ખાસ ખાવાનું પિરસવા માટે ચલાવવામાં આવે છે. ભારતીય નાગરિકોને અહીં ફરવા માટે 150 રુપિયા પ્રતિ વ્યક્તિનાં હિસાબથી ટીકિટ લેવી પડે છે, જ્યારે વિદેશી નાગરિકો માટે ટિકિનાં દર 800 રાખવામાં આવ્યા છે.