દેશમાં ઘણા એવા અરબપતિ છે, જે મૂળ પાકિસ્તાનના છે. અવિભાજીત ભારતના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતના લોકો તેમના પૂર્વજોના વિભાજન બાદ ભારતના કેટલાક રાજ્યોમાં વસી ગયા હતા.
મૂળ પાકિસ્તાનના ભારતીય અરબપતિ
બબિતા કપૂર પણ છે મૂળ પાકિસ્તાની
ઘણા લોકોએ હિન્દુસ્તાનમાં મેળવી પ્રસિદ્ધિ
વિભાજનથી મચેલી ઉથલ પાથલ વચ્ચે પણ આ લોકોએ માત્ર પોતાની જ પ્રગતિ ન કરી પરંતુ આજે તે દેશના અમિર લોકોમાં સામેલ છે. સિંધ પ્રાંતના લોકો ઉંડા લગાવને કારણે પાકિસ્તાન છોડવામાં હેઝીટેટ થતા હતા. માઇનોરિટી-મેજોરીટી વચ્ચે વણસી રહેલી પરિસ્થિતિએ લોકોને આ પગલુ ભરવા મજબૂર કર્યા. જાન્યુઆરી 1948માં દંગા થયા, જેના દ્વારા ત્યાંના હિન્દુઓથી લઇને સિંધીઓને પણ ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા.
સિંધ પ્રાંતથી ભાગવા મજબૂર થયા ત્યારે લોકો પગપાળા ચાલી નીકળ્યા. રેલવે કે બીજુ જે પણ સાધન મળ્યુ તેમાં બેસીનેભારતના અલગ અલગ શહેરોમાં વસી ગયા. અહીં વેપાર શરૂ કર્યો અને મોટુ નામ કમાયુ.
પાકિસ્તાનથી હિન્દુસ્તાન આવીને વસ્યા અને અમીર થયા તેવા લોકોમાંથી એક છે હીરાનંદાની. હીરાનંદાની ગ્રુપના માલિક અને પદ્મશ્રી વિજેતા લખુમલ હિરાનંદાની પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જન્મ્યા અને ત્યાં જ પોતાનુ કામ શરૂ કર્યું. વિભાજનને કારણે તેમને ભારત આવવુ પડ્યું. 80ના દાયકામાં કાંદીવલીમાં ટેક્સટાઇલનો બિઝનેસ શરૂ કર્યો અને 2017માં તેમનુ નામ ફોર્બ્સની યાદીમાં આવી ગયુ.
સિંધી-હિન્દુ પરિવારનું મુખ્ય કામ બિઝનેસ રહ્યું પરંતુ રાજનીતિથી ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં પણ તેમણે ખુબ નામ કમાયું. એવું જ એક નામ છે કરિના કપૂરની મા બબિતા કપૂરનું. બબિતા પણ પાકિસ્તાનના કરાચીમાં જન્મી. તેના પિતા હિન્દુ-સિંધી પરિવારમાંથી હતા એટલે તે પણ ભારત આવી ગયા.
કોમેડીયન અસરાની પણ સિંધ પ્રાંતમાંથી ભારત આવ્યા. અસરાનીનો પરિવાર જયપૂર આવીને વસ્યો, જ્યાં તેમના પિતાએ દુકાન શરૂ કરી. વિભાજન વખતે અસરાની 7 વર્ષના હતા.
દેશના ફેમસ વકીલ રામ જેઠમલાણી પણ સિંધ પ્રાંતમાંથી હતા. ગયા વર્ષે જ તેમનુ નિધન થયુ. તેમનો જન્મ બ્રિટીશ શાસનના શાકારપુર કે જે હવે સિન્ધ પ્રાંત છે તેમાં થયો. 1923માં જન્મેલા જેઠમલાણીએ લૉ પ્રોફેસર તરીકે પાકિસ્તાનમાં કરિયર શરૂ કર્યું. બાદમાં તેમણે પાકિસ્તાનથી ભારત આવવું પડ્યું.