ગીર સોમનાથની સુંદરતામાં વધારો, એક કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન માટે વૉક-વે તૈયાર કરાયો છે જેનું વડાપ્રધાન મોદી શુક્રવારે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
ગીર સોમનાથની સુંદરતામાં વધારો
1 કિ.લો મીટરના વૉક-વે થકી થઈ શકશે સમૃદ્ધ દર્શન
આવતી કાલે વડાપ્રધાન વૉક-વેનું કરશે લોકાર્પણ
વિશ્વ પ્રસિદ્ધ ગીર સોમનાથની સુંદરતામાં હવે વધારો થવા જઈ રહ્યો છે. ગીર સોમનાથમાં ભગવાની શિવની દર્શને આવતા પ્રવાસીઓ હવે તેના આલ્હાદક સમુદ્ધના મોજાઓની પણ મોજ માણી શકશે કેમ કે પ્રવાસીઓના ધસારાને લઈ હવે પ્રયર્ટન સ્થળ તરીકે ગીર સોમનાથની વિકસીત કરવા હવે એક કિલો મીટર લાંબો સમુદ્ધ કિનારે વોક વે તૈયાર કરવામાં આવ્યો છે જેને આવતી કાલથી નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
ગીર સોમનાથની સુંદરતામાં વધારો
ગીર સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ યોજના, ગુજરાત ટૂરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી વિવિધ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 4 પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદી આવતી કાલે શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે, જેમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ સાગર દર્શનનો એક કિલો મીટર લાંબો વોક-વે 45 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે સાથે જ ગીર સોમનાથને પ્રવાસન સ્થળે તરીકે વિકસીત કરવા માટે સોમનાથ મહાદેવના મંદિરનાં વિકાસકામોનું પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે સોમનાથ મંદિર પરિસરમાં 22 કરોડના ખર્ચે નિર્માણ પાર્વતી મંદિરનું ભૂમિપૂજન હાથ ધરાશે.
વૉક-વે થકી થઈ શકશે સમૃદ્ધ દર્શન
આવતી કાલે વડાપ્રધાન વૉક-વેનું લોકાર્પણ થનાર છે ત્યારે લાકાર્પણ પ્રસંગે વિવિધ સાંસ્કુતિક કાર્યક્રમોનું પણ આયોજન પણ હાથ ધરાયું છે જેમાં નૃત્ય,દાંડિયારાસ, લોકનૃત્યો તેમજ શોભાયાત્રા પણ યોજાઈ તેવું મનાઈ રહ્યું છે.