રાજ્ય સરકારે જંત્રીના ભાવ બમણો કરતા ક્રેડાઈએ બેઠક બોલાવી છે. ત્યારે ક્રેડાઈની બેઠકનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે બિલ્ડર એસો. રાજ્ય સરકારમાં રજૂઆત કરશે.
રાજ્ય સરકારે જંત્રીનો ભાવ બમણો કરતા ક્રેડાઈએ બોલાવી બેઠક
જંત્રીના ભાવ વધારા અંગે બોલ્યા ક્રેડાઈના ઉપપ્રમુખ સુજીત ઉદાણી
સરકારે બિલ્ડર્સ અને લોકોને સમય આપવો જોઈએ- સુજીત ઉદાણી
રાજ્ય સરકારે જંત્રીના ભાવ બમણો કરતા ક્રેડાઈએ બેઠક બોલાવી છે. ત્યારે ક્રેડાઈની બેઠકનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા એકા એક જંત્રીના ભાવમાં વધારો કરી દેતા બિલ્ડરો મુંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે. ત્યારે આ બાબતે ક્રેડાઈના ઉપપ્રમુખ સુજીત ઉદાણીએ જણાવ્યું હતું કે જંત્રીના ભાવમાં વધારો કર્યો પહેલા સરકારે સર્વે કરવાની જરૂર હતી. સરકારે બિલ્ડર્સ અને લોકોને સમય આપવો જોઈએ. તાત્કાલીક ભાવ વધારાથી બિલ્ડર્સ અને મિલકત ખરીદનારને મુશ્કેલી થશે. જંત્રીના ભાવ વધતા અનેક દસ્તાવેજો અને આર્થિક વ્યવહારો અટક્યા છે. જંત્રીના ભાવ વધારા મામલે રાજકોટ બિલ્ડર એસોસિયેશનના ઉપપ્રમુખ સુજીત ઉદાણીએ જણાવ્યું હતું કે આ બાબતે અમે રાજ્ય સરકારને રજૂઆત કરશે.
રાજ્યમાં બાર વર્ષ બાદ જંત્રીમાં થયો વધારો
મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે 12 વર્ષ પછી તેમાં વધારો કરવાની વિચારણા સરકારે હાથ ધરી હતી જેની આજે અમલવારી કરી દેવામાં આવી છે. જે અમલમાં સોમવારથી આવશે.
જંત્રી એટલે શું?
જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવતા લઘુતમ ભાવને જંત્રી કહેવાય છે. વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી કરાવી શકશો. તેમજ દસ્તાવેજ એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી તે નક્કી થઇ શકે છે. કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ જ્યારે અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ?
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી થાય છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે. ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે, ફ્લેટ. પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય તો જંત્રી રેટ ઉંચો હોય છે. હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે જંત્રીની ફોર્મ્યૂલા
ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે, જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે. બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં વર્ષ 2006માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ 2008માં થયો હતો અને 2011માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી હતી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે.