ICC ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપનો આગાઝ થઇ ગયો છે અને ભારત તેના સૌથી મોટા પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સાથે 24 ઓક્ટોબરે મૅચ રમશે પરંતુ આ મૅચને લઇને રાજકારણ ગરમાયું છે.
ભારત-પાકિસ્તાન મૅચના વિરોધમાં આ સંગઠન
મેદાન પર નહી બોર્ડર પર થાય ફેંસલો
ભારત સરકારને કહ્યું, 'પાક.ને શત્રુ રાષ્ટ્ર ઘોષિત કરો'
મેદાન પર નહી બોર્ડર પર થાય નિર્ણય
કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ પહેલા જ ભારત પાકિસ્તાન મૅચને લઇને નિવેદન આપી ચૂક્યા છે. હવે વિશ્વ હિન્દુ પરિષદે પણ આ મૅચનો વિરોધ કર્યચો છે. VHPનું કહેવું છે કે કોઇ પણ સંજોગોમાં આ મૅચ ન રમાવી જોઇએ. હિન્દુવાદી સંગઠનનું માનવું છે કે બંને દેશ વચ્ચે હાર જીતનો નિર્ણય ક્રિકેટના મેદાનમાં થવો જોઇએ.
VHPના નેતાનું નિવેદન
વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને કહ્યું કે ભારત સરકારને અપીલ છે કે પાકિસ્તાનને શત્રુ રાષ્ટ્ર ઘોષિત કરી દેવામાં આવે. સાથે જ તેમનું કહેવું છે કે પાકિસ્તાન આપણી સાથે શત્રુતા નિભાવતા રહે અને આપણે મિત્રતા નિભાવતા રહ્યાં છીએ આવું કેવી રીતે ચાલશે. કાશ્મીરમાં પાકિસ્તાન પ્રયોજીત હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ થઇ રહી છે. આવી પરિસ્થિતિમાં પાકિસ્તાન સામે કેવી રીતે મૅચ રમાઇ શકે છે.
હિન્દુઓની હત્યા પર ગુસ્સો
કાશ્મીરમાં અલ્પસંખ્યક હિન્દુઓની સતત કિલિંગને લઇને વિશ્વ હિન્દુ પરિષદે પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેની સાથે જ માગ કરવામાં આવી છે કે પાકિસ્તાન સામે મૅચ ન રમાવી જોઇએ.
કાશ્મીરમાં પાકિસ્તાન આતંક ફેલાવે છે
સુરેન્દ્ર જૈને કહ્યું કે કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ શાંતિ હતી. આતંકવાદ રોકાઇ ગયો હતો પરંતુ આ પાકિસ્તાનથી સહન ન થયુ અને તેણે કાશ્મીરમાં હિન્દુઓને મારવાનું શરૂઆત કરી છે. પાકિસ્તાન આપણી સાથે શત્રુતા નિભાવતા રહે અને આપણે મિત્રતા નિભાવતા રહ્યાં છીએ આવું કેવી રીતે ચાલશે.
24 ઓક્ટોબરે મૅચ
ભારત પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે મૅચ રમાવાની છે. કાશ્મીરમાં હિન્દુઓની કિલિંગ મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે દેશમાં ગુસ્સાની લહેર છવાઇ છે.