ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝ બંને ટીમ માટે મહત્વની છે.
વિરાટની ભૂલ ઇન્ડિયાની ટીમને પડશે ભારે
ન્યૂઝીલેન્ડ પહોંચી ગયુ ફાઇનલમાં
ઓસ્ટ્રેલિયા પણ છે રેસમાં
આ સિરીઝના નિર્ણયથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં કઇ ટીમ પહોંચશે તે નક્કી થશે. ન્યૂઝીલેન્ડની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. હવે બીજી ટીમની રેસમાં ભારત-ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. ભારતીય ટીમ પાસે ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચવા માટે સારી તક છે પરંતુ તેના માટે ઇંગ્લેન્ડને ઓછામાં ઓછી 2 મૅચથી જીતવું પડશે. ચેન્નઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાથી મોટી ભૂલ થઇ ગઇ છે, જે તેને ખુબ ભારે પડશે.
એક રિપોર્ટ અનુસાર ભારતીય ટીમને ચેન્નઇ ટેસ્ટના ચોથા દિવસે ખૂબ ધીમી ગતિથી ઓવર ફેંકી હતી. તેના કારણે તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઇન્ટ પણ કપાઇ શકે છે. ટિમ પેનની ટીમે પણ આ જ ભૂલ કરી હતી અને તેના પોઇન્ટ્સ કપાયા હતા. જેના કારણે ન્યૂઝીલેન્ડની જીત ફાઇનલ થઇ હતી.
ભારતીય ટીમે ચેન્નઇ ટેસ્ટમાં ટી બ્રેક બાદ 90 મિનીટમાં માત્ર 19.3 ઓવર ફેકી હતી. આઇસીસીના નિયમો અનુસાર ટીમને એક કલાકમાં 15 ઓવર ફેંકવાની હોય છે અને ભારતનો ઓવર રેટ તેનાથી ઘણો ઓછો રહ્યો હતો.
વિરાટને નહોતી તેની જાણકારી
ચેન્નઇ ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલીનું સમગ્ર ધ્યાન ઇંગ્લેન્ડને વધારેથી વધારે બેટિંગ પર રહ્યું ને કદાચ તેના માટે જ ઓવર રેટ ખુબ ધીમુ રહ્યું હતું પરંતુ કોહલીની આ રણનીતિ આગળ જઇને ભારતને ભારે પડશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલનું ગણિત
ટીમ ઇન્ડિયાને જો વર્લ્ડ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચવાનું છે તો તેને ચાર ટેસ્ટ મૅચની આગળની સિરીઝમાં 2 મુકાબલા જીતવા પડશે. ભારતીય ટીમ જો 1-0થી પણ જીતે છે તો તે ફાઇનલની દોડમાંથી બહાર થઇ જશે. જો ભારત 2-1થી સિરીઝ જીતે છે તો જ તે ફાઇનલમાં પહોંચી શકે છે.