1 ફેબ્રુઆરી 2021થી ઘણા બધા બદલાવ થવા જઇ રહ્યાં છે. તેમાં મહત્વપૂર્ણ બદલાવ બજેટ હશે.
1 ફેબ્રુઆરીથી થશે મોટા બદલાવ
ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સા પર પડશે અસર
નિર્મલા સિતારમણ બજેટ જાહેર કરશે
ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણ વર્ષ 2020-21ના બજેટમાં મોટી ઘોષણા કરે તેવી શક્યતાઓ છે. જેનો સીધો અસર આપણા ખિસ્સા પર પડશે. દરેક વ્યક્તિએ આ વાતો જાણી લેવી ખુબ જરૂરી છે. બજેટ સિવાય પણ કેટલાક બદલાવ છે જે 1 ફેબ્રુઆરીએ થવા જઇ રહ્યાં છે.
સિલિન્ડરના ભાવ વધશે
મહત્વનું છે કે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ રસોઇ ગેસ સિલિન્ડર અને કમર્શિયલના ભાવ નક્કી કરે છે. જેથી 1 ફેબ્રુઆરીએ સિલિન્ડરના ભાવમાં બદલાવ થશે. ડિસેમ્બરમાં 2 વાર સિલિન્ડરના ભાવમાં ફેરફાર થયા હતા.
આ ATMથી નહી કાઢી શકાય કેશ
પંજાબ નેશનલ બેઁકના ગ્રાહક છો તો જાણી લો કે 1 ફેબ્રુઆરીથી તમે PNBના એટીએમથી પૈસા નહી કાઢી શકો, કારણકે બેઁક નિયમોમાં ફેરફાર કરવા જઇ રહી છે. દેશમાં વધી રહેલા પીએનબીના ફ્રોડને રોકવા માટે આ મોટુ અને સરાહનીય પગલુ ઉઠાવ્યું છે.
ઇન્ટરનેશનલ ફ્લાઇટ
Air india Expressએ નવી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે એલાન કર્યુ છે. 1 ફેબ્રુઆરીથી 27 માર્ચ 2021 દરમિયાન ત્રિચી અને સિંગાપુર વચ્ચે રોજની ફ્લાઇટ શરૂ કરશે. રુટમાં અન્ય કનેક્શન જેમકે કુવૈતથી વિજયવાડા, હૈદરાબાદ, મેંગ્લોર, ત્રિચિ, કોઝિકોડ, કુન્નુર અને કોચી.
ઓછા થઇ શકે આ પ્રોડક્ટસના ભાવ
1 ફેબ્રુઆરી 2021એ મોદી સરકાર પોતાનુ બજેટ જાહેર કરશે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર કેટલીક વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે. જેમાં ફર્નીચરનો કાચો માલ, તાંબાનો ભંગાર, કેટલાક રસાયણ, રબડ, ચામડાના કપડા વગેરેમાં ઘટાડો થઇ શકે છે. સરકારના આ નિર્ણયથી ઘણી પ્રોડક્ટ સસ્તી થઇ શકે તેમ છે.
PMC bank માટે આપવી પડશે ઑફર
PMC બેઁકના એડમિનિસ્ટ્રેટરે બેઁકને બીજી વાર ઉભી કરવા માટે ઇન્વેસ્ટરને ઑફર આપવા માટે 1 ફેબ્રુઆરી સુધી પોતાના પ્રસ્તાવ આપવાની ડેડલાઇન નક્કી કરી છે. જેમ કે Centrum Group-BharatPe સાથે મળીને ઑફર આપી છે. આ સિવાય યુ કેની કંપની લિબર્ટી ગ્રુપે પણ પોતાની ઓફર આપી છે.