IPLમાં ચેતનનું શાનદાર પફોર્મન્સ
સાકરિયાએ પોતાના ટેલેન્ટથી લોકોને ખુબ પ્રભાવિત કર્યા છે. સાકરીયાએ પોતાની 4 ઓવરમાં 31 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તે સિવાય તેણે નિકોલસ પૂરનનો શાનદાર કેચ પણ પકડ્યો હતો. જેને જોઇને આંખો પર વિશ્વાસ કરવા મુશ્કેલ હતો. રાજસ્થાન રોયલ્સને ચાર રનથી હરાવ્યા બાદ ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સિંહ સહેવાગે ટ્વિટ કરી હતી જેને વાંચીને તમે ચોક્કસથી ઇમોશનલ થઇ જશો.
Chetan Sakariya's brother died of suicide few months ago,his parents didn't tell him for 10 days as he was playing the SMA trophy. What cricket means to these young men,their families .IPL is a true measure of the Indian dream & some stories of extraordinary grit🙏🏼Great prospect pic.twitter.com/r0mISy9Asv
સહેવાગે કરી ટ્વિટ
સાકરીયાની માતાનું ઇન્ટરવ્યૂ શૅર કરતા સહેવાગે કહ્યું કે, ચેતન સાકરિયાના ભાઇએ થોડા મહિના પહેલા જ સુસાઇડ કર્યુ હતુ. જેના કારણે તેની મોત થઇ હતી. તેના પેરેન્ટ્સે તેને 10 દિવસ સુધી આ વાત જણાવી નહોતી કારણકે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હતો. ક્રિકેટ આના જેવા યુવાન અને તેના પેરેન્ટ્સ માટે કેટલી મહત્વની છે તે જાણી શકાય છે. આઇપીએલ ખરેખર ભારતીયોના સપનાને પૂરુ કરે છે અને કેટલીક કહાનીઓ તો અસાધારણ છે. ચેતનની માતાએ જણાવ્યું કે તેનો છોકરો કેટલા સંઘર્ષો બાદ આ મુકામ સુધી પહોંચ્યો છે.
કોણ છે ચેતન સાકરિયા
આ વર્ષે રાજસ્થાન રોયલ્સે સાકરીયાને 1.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ચેતનના પિતા ટ્રક ડ્રાઇવર હતા અને ત્રણ એક્સિડેન્ટ થયા બાદ હવે તે પથારીવશ છે અને કમાણી કરવા અસમર્થ છે. ચેતનની માતાએ કહ્યું કે ફેમિલીને સપોર્ટ કરવા ચેતન એક સ્ટેશનરીની દુકાન પર કામ કરતો હતો. સાકરિયાને જ્યારે ખબર પડી કે તેનો ભાઇ આ દુનિયામાં નથી રહ્યો ત્યારે એક અઠવાડીયા સુધી તેણે કોઇ સાથે વાત નહોતી કરી કે ના કંઇ ખાધુ હતુ.
નાનપણથી ક્રિકેટર બનવાનું સપનુ
ભાવનગર જિલ્લાના વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો. પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા. પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી. તેની મહેનત રંગ લાવી.
કોણ છે ચેતનના પરિવારમાં
ચેતનાના પરિવારમાં તેઓ બે ભાઈ અને 1 બહેન છે. પરંતુ તાજેતરમાં ચેતનના નાના ભાઈએ કોઈ અકળ કારણોથી આત્મહત્યા કરી લેતા પરિવાર માથે આભ તૂટી પડ્યું છે. ચેતન રણજી ટ્રોફી મેચ રમતો હતો. ત્યારે આ કરુંણ ઘટના બની હતી. પરંતુ તે ડિસ્ટર્બ ન થાય માટે પરિવારમાં પરત આવ્યો ત્યારે જ તેને આ વાતની જાણ કરાઈ હતી. ચેતને પોતાની હિંમત દાખવી પરિવારને પણ સંભાળ્યો હતો. જે બાદ ચેતન પરફોન્સ માટે મુંબઈ ગયો અને આખરે પસંદગીકારોનું ધ્યાન તેના તરફ ખેંચ્યું. જે બાદ 1.20 કરોડમાં રાજસ્થાનની ટીમે ખરીદી લેતા હવે ચેતનનું ભવિષ્ય ઉજ્વળ બન્યું છે.
ચેતન સાકરીયા ભાવનગરની બી.એમ હાઈસ્કૂલમાં 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. ત્યારે તે અંદર-16માં પસંદ થયો અને તેમને અભ્યાસની સાથે રમતને પણ પ્રાધાન્ય આપવાની વાત કરતા શાળાના સઁચાલકોએ પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું. ચેતન આજે એક મોટો ખેલાડી બની ગયો છે. તેમ તેની શાળાના આચાર્યનું કહેવું છે. ચેતન IPL માટે સિલેક્ટ થતા જ વરતેજ ગામના લોકોમાં પણ ખુશીનો માહોલ છે. અને હાલ ચેતના તેના ઘરે ન હોવા છતાં તેના મિત્ર વર્તુળો તેમના નિવાસ સ્થને તેના પરિવારને શુભેચ્છા આપવા ઉમટી પડ્યા છે.