ભારતીય સંસ્કૃતિમાં તુલસીના છોડને અતિ પવિત્ર માનવામાં આવે છે. તુલસી ભાગ્યવૃધ્ધિમાં ખુબ જ મદદરૂપ થાય છે. પૌરાણીક માન્યતા મુજબ તુલસીનું પુજન કરવાથી પરિવારમાં સુખ-સમૃધ્ધિ અને લક્ષ્મીનો વાસ થાય છે. આ કારણોસર દરેક વ્યક્તિએ પોતાના પરિવારમાં તુલસીનો છોડ રાખવો જોઇએ.
ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અતિ પ્રિય છે. તેની પુજા હંમેશા કોઇપણ શુભકાર્યમાં કરવામાં આવે છે. કારતક શુક્લ પક્ષની એકાદશીના રોજ ભગવાન વિષ્ણુની સાથે તુલસી વિવાહનું પણ એટલુ જ રહેલુ છે. આજના દિવસે તુલસીના છોડ અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ એવા શાલીગ્રામના વિવાહ કરવાનો રીવાજ પેઢી-દરપેઢીથી ચાલ્યો આવે છે. આજના દિવસે તુલસી વિવાહ કરાવવાથી દાંમ્પત્ય જીવનમાં વધુ મધુરતા આવે છે તેનો ઉલ્લેખ આપણાં શાસ્ત્રમાં પણ કરવામાં આવેલો છે.
તુલસી વિવાહના દિવસે ભગવાન વિષ્ણુની મુર્તીને પીળા વસ્ત્ર પહેરાવવા જોઇએ.અને તુલસીના છોડની આસપાસ નાનો મંડપ તૈયાર કરીને તુલસીમાં ને પણ સાડી અથવા પાનેતર પહેરાવવું જો અનુકુળતા ના હોય તો ચુંદડી પણ ઓઢાડી શકાય.તથા સાંજના સમયે શુભ ચોઘડીયામાં તુલસી વિવાહનું આયોજન કરવુ. આ કામ કરવાથી માં તુલસી અને ભગવાન વિષ્ણુની કૃપા અવિરત તે પરિવાર પર બની રહે છે. અને સમગ્ર પરિવારમાં સુખ-સમૃધ્ધિ ભરપુર રહે છે.