આણંદના ખાનપુરમાં આવેલ વડલો ભારતના સ્વતંત્ર ઈતિહાસનો સાક્ષી છે. કારણકે આ વડલા પર અંગ્રેજો ગુજરાતના ક્રાંતિવીરોને ફાંસીએ લટકાવતા હતા.
આઝાદીની લડતનો સાક્ષી છે ખાનપુરનો વડલો
અંગ્રેજો ક્રાંતિકારીઓને વડલે આપતા હતા ફાંસી
ગુજરાતના ઘણા ક્રાતિકારીઓને વડલે ફાંસી આપવામાં આવી
દેશ આઝાદીનું પર્વ મનાવી રહ્યો છે. આપણે શાન સાથે તિરંગા ઝંડાને સલામી આજે આપી રહ્યા છે. પરંતુ આ તિરંગાને ફરકાવવા માટે અનેક લોકોએ પોતાની છાતીએ ગોળીઓ છેલી છે, બલિદાન આપ્યા છે. ત્યારે દેશને આઝાદી મળી છે. આઝાદીની લડાઈમાં પહેલાથી જ ગુજરાત અગ્રેસર હતું. આઝાદી માટે સૌથી પહેલી ક્રાંતિ 1857માં થઈ હતી...અને આ ક્રાંતિની જ્વાળાઓ દેશની સાથે ગુજરાતમાં પણ પ્રસરી હતી. જેમાં આણંદના ખાનપુર ગામે બહુ મોટું યોગદાન આપ્યું હતું...અને તેનો સાક્ષી બનીને આજે પણ ઉભો છે એક વડલો. જેના વિશે આજે અમે તમને વિગતવાર માહિતી આપીશું
ખાનપુર તે સમયે લડતનું આગેવાન
1857ની ક્રાંતિ પછી અંગ્રેજો સામે મંગલ પાંડે અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ ખુલ્લો જંગ છેડ્યો અને દેશને આઝાદ કરાવવાનું મન બનાવ્યું. આ ક્રાંતિમાં અનેક લોકો શહીદ થયા પરંતુ આખા દેશમાં આ ક્રાંતિ ફેલાઈ ગઈ. જેમાં ગુજરાત પણ બાકાત ન હતું. આણંદ જિલ્લાનું ખાનપુર લડતનું આગેવાન બન્યું હતું. ગામના જીવાભાઈ ઠાકોર અને આણંદના મુખી ગરબડદાસે સાથે મળી અંગ્રેજોને હંફાવી દીધા હતા.
કોળી અને ભીલ સેના સૌથી મોટી
બન્ને સ્વાતંત્ર્ય સેનાની પાસે કોળી, ભીલ, નાયકડા, સીબદ્દીની મોટી સેના હતી. જેનાથી તેઓ અંગ્રેજોને તેઓ હંફાવતા હતા. 1857ના વિપ્લવને દબાવલી દેવા અંગ્રેજો આખા દેશમાં દમન કરતા હતા. ક્રાંતિકારીઓને ગોળીઓથી વિંધી નાંખતા હતા, સાથેજ જે જીવતું પકડાય તેને ફાંસીના માંચડે લટકાવી દેતા હતા.
અંગ્રેજોએ ગામમાં આગ લગાવી
અંગ્રેજોના દમનનો સાક્ષી ખાનપુરનો આ વડલો છે. જ્યા અનેક લોકોને ફાંસીએ લટકાવામાં આવ્યા હતા. અંગ્રેજો પર ગરબડદાસ મુખી અને જીવાભાઈની સેનાએ કરેલા હુમલાનો બદલો લેવા અંગ્રેજો મોટું દમન કર્યું. અંગ્રેજોની મોટી ફોજ ખાનપુર પહોંચી. ગામમાં આગ લગાવી દીધી. ગરબડદાસ હાથ ન લાગ્યા. પરંતુ જીવાભાઈ ઠાકોર પકડાઈ ગયા.
જીવાભાઈને ફાંસીએ ચઢાવી દીધા
જીવાભાઈ અને તેમના સાથીદારોને અંગ્રેજોએ આ જ વડલાની ડાળીએ ફાંસીના માંચડે લટકાવી દીધા. ખાનપુરવાસીઓ આ વડલાનું મહત્વ બરાબર સમજે છે. કારણકે આ જ વડલા નીચે પોતાના પૂર્વજોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતી આપી હતી. આ વડલાએ અનેક દશકો અને સદીઓ જોઈ છે. પરંતુ આપણી સરકારોની કમનસીબી છે કે દેશની આઝાદી માટે જેમણે લોહી પાણી એક કર્યા હતા તેવા ક્રાંતિકારીઓ અને ક્રાંતિના સ્થળોને ભૂલાવી દેવાયા છે.
ફાંસિયા વડ તરીકે ખાનપુરનો વડ પ્રખ્યાત
ઉલ્લેખનીય છે કે આ વડ ફાંસિયા વડ તરીકે પણ ઓળખાય છે. પરંતુ જોઈએ તેવી કાળજી સરકારે આની રાખી નથી.ખાનપુરના લોકો પોતાના પૂર્વજોની આ વિરાસતને હાલ સાચવી રહ્યા છે...જો કે સરકારે પણ ધ્યાન રાખવું જરૂરી છે...