ટીવીનો પ્રસિદ્ધ શો તારક મહેતા...આજે કોઇ ઓળખાણનો મોહતાજ નથી રહ્યો પરંતુ તેના કલાકાર બધાના ફેવરિટ છે. તમે જાણો છો શોના એક કલાકારે પોતાના દિકરાના ઇલાજ માટે પેપર પણ વેચ્યા હતા.
તારક મહેતા...નો કલાકાર છાપા વેચવા મજબૂર
દિકરાને છે દુર્લભ બિમારી
મરાઠી સિનેમામાં પણ કર્યુ કામ
શોમાં નજર આવી ચૂકેલા એક્ટર અતુલ વિરકર હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. હાલમાં તેના દિકરાના ઇલાજ માટે તેણે પેપર વેચવાનો ધંધો શરૂ કર્યો છે.
કેમ છવાઇ ગરીબી
ગયા વર્ષે ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સિતારાના સિતારા બેસી ગયા હતા. કોરોના વાયરસના કારણે લાગેલ લૉકડાઉનના કારણે કલાકારોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અતુલના દિકરાને એક દુર્લભ બિમારી છે અને તે AHDS (Allan-Herndon-Dudley syndrome) પીડિત છે.
આ રીતે ચલાવ્યું ગુજરાન
ઇટાઇમ્સ ટીવીની ખબર અનુસાર ગયા વર્ષે શૂટિંગ બંધ થઇ જવાના કારણે અભિનેતાઓને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. અતુલ પણ લાંબા સમયથી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. તેણે આવા સમયમાં અગરબત્તી વેચીને પોતાનુ ગુજરાન ચલાવ્યુ હતુ.
દિકરા માટે દવા નહી
મિડીયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, લૉકડાઉનમાં માત્ર મને પ્રભાવિત જ નથી કર્યો પરંતુ મારો દિકરો બિમાર છે અને હાલ તે ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યો છે. તે સામાન્ય બાળકોની જેમ ઉભો નથી રહી શકતો અને બીજુ પણ કંઇ કામ નથી કરી શકતો. તે હંમેશા પથારીમાં પડ્યો રહે છે.
દેશમાં ઇલાજ નહી
અતુલ પોતાના દિકરાની બિમારીને લઇને કહે છે કે આ દેશમાં તેના દિકરાનો ઇલાજ નથી અને તેમણે તારક મહેતા.. શોમાં પણ કામ કર્યુ છે સાથે જ હિન્દી તેમજ મરાઠી સિનેમામાં પણ કામ કર્યુ છે. મને કોઇનાથી વધારે આશા નથી પણ હું બધાનો સપોર્ટ ઇચ્છુ છુ.
તારક મહેતા સાથે સંકળાયેલા દરેક કલાકારોના દર્શકો ફેન્સ છે અને છેલ્લા 3 વર્ષથી દયાભાભી શોથી બહાર છે. હાલમાં જ અસિત મોદીએ નિવેદન આપ્યુ હતુ અને કહ્યું હતુ કે દિશા પરત આવે કે ના આવે પરંતુ શો મસ્ટ ગો ઓન. સામાન્ય રીતે કહીએ તો જો દિશા વાકાણી શોમાં પરત નહી આવે તો નવી દયા સાથે પણ તેઓ કામ શરૂ કરી દેશે.