દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBI એ હૈદરાબાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બુચીબાબુ ગોરંતલાની ધરપકડ કરી છે, દિલ્હીની એક્સાઈઝ પોલિસીને બનાવવામાં અને લાગુ કરવામાં તેમની મહત્વની ભૂમિકા
દિલ્હીની એક્સાઈઝ નીતિમાં ફેરફાર કરીને કર્યું હતું કૌભાંડ
દિલ્હીની કથિત દારૂ કૌભાંડની તપાસ એજન્સીઓ વધુને વધુ સખત બનાવાઇ રહી છે એવામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI એ હૈદરાબાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બુચીબાબુ ગોરંતલાની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે દિલ્હીની એક્સાઈઝ પોલિસીને બનાવવામાં અને લાગુ કરવામાં તેમની મહત્વની ભૂમિકા જણાવવામાં આવી છે. આ સાથે જ હૈદરાબાદ સ્થિત જથ્થાબંધ અને છૂટક લાયસન્સ અને તેમના લાભાર્થી માલિકોને ખોટી રીતે લાભ પંહોચાડવાના આરોપમાં ગોરંતલાની ધરપકડ કરવામાં આવી છે.
બુચીબાબુની મંગળવારે સાંજે ધરપકડ કરવામાં આવી
જણાવી દઈએ કે તેલંગાણાના ગોરંતલાએ આ પહેલા પણ તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતા સાથે કામ કર્યું હતું. હાલ તપાસને આધારે સીબીઆઈ દ્વારા તેમને રાષ્ટ્રીય રાજધાનીમાં બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે બુચીબાબુની મંગળવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર બુચીબાબુ તપાસમાં સહકાર આપી રહ્યો ન હતો અને તથ્યો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ માટે સીબીઆઈ ગઈકાલે તેની ધરપકડ કરી અને તેને બુધવારે એટલે કે આજે કોર્ટમાં રજૂ કરશે. જણાવી દઈએ કે સીબીઆઈએ ડિસેમ્બરમાં તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાની પણ પૂછપરછ કરી હતી.
Delhi Excise Policy case | CBI arrested Hyderabad based Chartered Accountant Butchibabu Gorantla for his alleged role in formulation & implementation of Delhi Excise Policy & causing wrongful gain to Hyderabad-based wholesale and retail licensees and their beneficial owners: CBI
દિલ્હીની એક્સાઈઝ નીતિમાં ફેરફાર કરીને કૌભાંડ કર્યું
આ સાથે જ તપાસના આધારે સીબીઆઈએ જણાવ્યું હતું કે કે કવિતાના ભૂતપૂર્વ ઓડિટર બૂચી બાબુએ આ કેસમાં 'સાઉથ ગ્રૂપ'નું પ્રતિનિધિત્વ કર્યું હતું. જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈએ દાવો કર્યો છે કે 'સાઉથ ગ્રૂપ' તરીકે ઓળખાતી લોબી સાથે મળીને દિલ્હીની એક્સાઈઝ નીતિમાં ફેરફાર કરીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
ED આ મામલાની તપાસ કરી રહી છે
દિલ્હી સરકાર દ્વારા ખાનગી કંપનીઓને ફાયદો પંહોચાડવા માટે લાંચ લેવાના આરોપો બાદ એલજી વીકે સક્સેનાએ CBI તપાસનો આદેશ આપ્યો હતો. જો કે આ ઘટના પછી 'આપ' સરકારે વિવાદાસ્પદ એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી લીધી હતી.સાથે જ આ કેસમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના બીજા સૌથી મોટા નેતા મનીષ સિસોદિયાને પણ આરોપી ગણવામાં આવ્યા છે. હાલ ઇડી પણ આ મામલાની તપાસ કરી રહી છે અને તાજેતરમાં જ ED દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં લ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું નામ પણ લેવામાં આવ્યું છે. સાથે જ આરોપીઓ સાથે AAP કન્વીનરની સાંઠગાંઠ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.