ઘણા લોકો નોકરીને લઈને હેરાન હોય છે. પરંતુ જરૂરીયાત નોકરીને બનાવી રાખે છે. નોકરી રોજગારનું એક સાધન છે. અને દુનિયાભરમાં લોકો જાત જાતની નોકરીઓ કરતા હોય છે. કોઈ નોકરી લોકોને દિલચસ્પ લાગે છે તો કોઈ નોકરી ચેલેન્જીંગ પરંતુ આ દેશમાં બહુ જ ઓછી એવી નોકરી છે જેમને કરવા માટે હિંમત જોઈએ. આવી જ એક નોકરી કરે છે 65 વર્ષીય ગણેશન જે રેલના પાટાઓ પરથી લાશ ઉઠાવવાનું કામ કરે છે.
ગણેશન દાદા કરે છે અનોખું કામ
40 વર્ષથી કરે છે કામ
પરિવારમાં બહેન સિવાય બીજું કોઈ નથી
40 વર્ષથી કરે છે કામ
ગણેશન પાછલા 40 વર્ષથી આ કામ કરે છે અને તે 'ઇરોડ રેલ્વે સ્ટેશન' પરનો ખુબ જ મશહુર ચેહરો છે. તેમન કેટલાય પોલીસવાળા, દુકાનદારો અને રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ ઓળખતાં હશે. દરેક લોકો તેમના કામ અને દયાળુ સ્વભાવના વખાણ કરતા હોય છે. ઘણા લોકો તેમને ગણેશન દાદા કહે છે. તે પોતાના કામને લઈને એટલા સમર્પિત છે કે તે હંમેશા લોકોને મદદ કરે છે.
દાડી પર મજૂરી કરતા હતા દાદા
'ન્યુ ઈંડીયન એક્સપ્રેસના એક રીપોર્ટ પ્રમાણે, ગણેશન તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરથી છે. અને તે જણાવે છે કે 'હું નોકરીની શોધમાં ઘણા શહેરોમાં રખડ્યો છું. મેં દાડી મજુરી પણ કરી છે. જો કે મારી પાસે નિયમિત કામ ન હતું અને મને એક પોલીસ અધિકારીએ નોકરી વિષે જણાવ્યું અને મેં હા પાડી દીધી.
લાશને પણ ખંભા પર ઉઠાવી છે
દાદા જણાવે છે કે 'જયારે રેલ્વેના પાટા પર લાશ મળતી ત્યારે મને તરત જ ફોન આવતો. મેં તે જગ્યાએ જાવ છું અને લાશને ઉઠાવીને તેને ઝીપરમાં પેક કરું છું. અને એમ્બ્યુલન્સમાં મૂકી દવ છું. કારણ કે તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જઈ શકાય અને ક્યારેક મારા ખંભા પર પણ ત્રણ ચાર કિલોમીટર સુધી ઉપાડીને પાટા પર ચાલ્યો છું. આ ત્યારની વાત છે જ્યારે એમ્બ્યુલન્સની સુવિધા હતી નહિ.
200થી 500 રૂપિયા કમાઈ લવ છું
તે આગળ જણાવતા કહે છે કે હું વર્ષમાં 200થી વધારે લાશ ઉઠાવું છું. હવે મારા કપડાઓ લોહીના ધબ્બા અને લાશો વગેરેના થઈ ગયા છે. તે ધબ્બાઓ લાંબા સમય સુધી મારા કપડાઓ પર રહેતા હતા. જો કે દાદા લાશ ઉઠાવવાના પૈસા માંગતા નથી પણ જ્યારે પણ આ કામ માટે પોલીસ અધિકારી બોલાવે તો કામ પૂર્ણ કર્યા બાદ 200-500 રૂપિયા આપે છે. અને આ પૈસાથી દાદા ખાવા પીવામાં અને રોજનું ગુજરાન ચલાવવામાં વાપરે છે.
રેલ્વે સ્ટેશન પર બનાવ્યું છે ઘર
ગણેશન જ્યારે નાના હતા ત્યારે જ તેમના માતા પિતાનું નિધન થઈ ગયું હતું. તેમને માત્ર એક બહેન છે. અને તેમના લગ્ન થઈ ચુક્યા છે. અને તેમના દીકરાએ તેમની જમીન લઈ લીધી છે. દાદા જણાવે છે કે 'મારો પરિવાર ન હોવાથી અને લગ્ન ન થયા હોવાથી મને કોઈ દુઃખ નથી. અને રેલ્વે સ્ટેશન પર મારું ઘર બની ગયું છે. ઓટો ડ્રાઈવર, પોલીસ અધિકારીઓ અને દુકાનદારો મારી સારી એવી સંભાળ રાખે છે.
મોત મારી જિંદગીનો એક ભાગ છે
જ્યારે પણ લાશ ઉઠાવવાનું કામ નથી હોતું ત્યારે 65 વર્ષીય દાદા સ્ટેશન પર કચરો ઉઠાવે છે. અને તે પ્લાસ્ટિક અને પસ્તી ભેગી કરીને થોડા ઘણાં પૈસા વેચીને કમાઈ ળે છે. દાદા જણાવે છે કે "હું જીવન અને મોત વચ્ચેનું અંતર ન કરી શકું. કારણ કે મૃત્યુ મારી જિંદગીનો એક ભાગ છે. અને આ કામ મારી જિંદગીના અંતિમ શ્વાસ સુધી હું કરીશ. એક દિવસ હું મરી જઈશ ત્યારે અહી કોઈ બીજું હશે જે મારા શરીરને ઉઠાવશે.
ખુબ જ ઈમાનદાર છે ગણેશન
"સરકારી રેલ્વે પોલીસ"ના બધા અધિકારીઓ અને તેમના કામના ખુબ વખાણ કરે છે અને એક અધિકારીએ જણાવ્યું કે ટ્રે ખુબ જ ઈમાનદાર છે. તેમણે કોઈ પણ લાશમાં જ્વેલરી અથવા પર્સ હોય તો પણ કોઈ દિવસ લેતા નથી અને કોઈ દિવસ રેલ્વે પરિસરને કંઈ જ નુકશાન કરતા નથી.