કોઈ પણ બેંકમાંથી પર્સનલ લોન લેવા માટે સૌથી વધારે જરુરી છે તમારો ક્રેડિટ સ્કોર, ક્રેડિટ સ્કોર 750થી વધારે હોય તો બેંક તમને પર્સનલ લોનનાં વ્યાજ પર થોડી રાહત આપી શકે છે. તમારો ક્રેડિટ સ્કોર જ નક્કી કરે છે કે તમને કેટલી પર્સનલ લોન મળી શકશે.
એસબીઆઈ 9.60 ટકાનાં દરે પર્સનલ લોન આપે છે
એચડીએફસી 10.50 ટકાને દરે પર્સનલ લોન આપે છે
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સૌથી ઓછા દરે લોન આપે છે
8.90નાં દરે આ બેંક પર્સનલ લોન આપે છે
દેશમાં સૌથી સસ્તી પર્સનલ લોન હાલ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા આપે છે. બેંક 700થી વધાર ક્રેડિટ સ્કોરવાળાને 8.90નાં વ્યાજ દરે પર્સનલ લોન આપે છે. દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક 8.95 ટકાનાં વ્યાજ પર પર્સનલ લોન આપે છે. જોકે તે વ્યાજ પર પેરા મિલિટ્રી અને રક્ષા કર્મિઓ માટે છે. સામાન્ય લોકો માટે બેંકની પર્સનલ લોન પર વ્યાજદર 11.30 ટકાથી શરુ થાય છે.
રેપો રેટનાં આધારે પર્સનલ લોની રકમ નક્કી થાય છે
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટનાં આધારે પર્સનલ લોનની રકમ નક્કી કરે છે. માટે ભારતીય રિઝર્વ બેંકનાં રેપો રેટમાં ફેરફારની સાથે વ્યાજ દર પણ બદલાતા રહે છે. હાલ બેંક 9.85 ટકાનાં વ્યાજ દર પર પર્સનલ લોન આપે છે જ્યારે મીડિયમ રિસ્ક શ્રેણીમાં વ્યાજનાં દર 10.05 ટકા છે. દેશની 7મી સૌથી મોટી બેંક ઈન્ડિયન બેંક 9.05 ટકાનાં વ્યાજદર પર પર્સનલ લોન આપે છે. જોકે આ વ્યાજ દર મહિલાઓ માટે છે અને પુરુષો માટે પર્સનલ લોનનાં દર 9.20 ટકા છે.
બેંક ઓફ મહારાષ્ટ્ર 750થી વધારે ક્રેડિટ સ્કોર વાળાને પર્સનલ લોન આપે છે
બેંક ઓફ મહારાષ્ટ્ર 750થી વધારે ક્રેડિટ સ્કોરવાળાને 9.55 ટકાનાં દરે પર્સનલ લોન આપે છે. જ્યારે 600થી 649નાં ક્રેડિટનાં ક્રેડિટ સ્કોર ધરાવનારને 10.55 ટકાનાં વ્યાજ દરથી પર્સનલ લોન આપવામાં આવે છે. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક 9.60 ટકાનાં વ્યાજદરથી પર્સનલ લોન આપે છે. જ્યારે સૌથી મોટી પ્રાઇવેટ બેંક એચડીએફસી બેંક 10.50 ટકાનાં વ્યાજે પર્સનલ લોન આપે છે.