દિલ્હી: કોંગ્રેસના દિગ્ગજનેતા શશી થરૂરની ઓફિસ પર તાજેતરમાં હુમલો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આ હુમલો તેમની તિરુવનંતપુરમ ખાતે આવેલ ઓફિસ બહાર કેટલાક હુમલાખોરોએ હુમલો કર્યો હતો.
આ હુમલામાં ઓફિસ બહાર રહેલ હોર્ડિગ્સ અને બેનર સાથે તોડફોડ કરવામાં આવી હતી આ સાથે હુમલાખોરોએ નારેબાજી પણ કરી હતી.
તાજેતરમાં પ્રાપ્ત થયેલ રિપોર્ટ્સ મુજબ યુવા મોરચાના કેટલાક કાર્યકર્તાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અચાનક કેટલાક કાર્યકર્તાઓ થરૂરની ઓફિસમાં ઘૂસ્યા હતા અને બહારના ભાગમાં લગાવવામાં આવેલ બેનર અને હોર્ડિગ્સ સાથે તોડફોડ કરી હતી.
People had come with their concerns but you scared them away from here. Is this what we want in our country? I am asking as a citizen not as an MP. This is not the Hinduism that I know of: Shashi Tharoor on his office attacked allegedly by BJP workers in Kerala's Trivandrum pic.twitter.com/KCn06svTZg
આ સાથે તેમણે શાહી પણ થરૂરના બેનર પર ફેંકીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કેટલાક તોફાની તત્વો દ્વારા કરવામાં આવેલ આ હુમલામાં તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરની ઓફિસ પર હુમલો કર્યો હતો અને બહારના ભાગમાં એક બેનર લગાવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે શશી થરૂરની પાકિસ્તાન ઓફિસ.
આ ઘટનાની જાણકારી થરૂરને સ્થાનિક સુરક્ષાકર્મીઓ દ્વારા પ્રાપ્ત થઇ હતી ત્યારબાદ કોંગીનેતાઓ જાહેર માધ્યમો સાથે હુમલા અંગેની વાતચીત કરી હતી.