આગામી તહેવારોની સિઝનમાં કોરોનાની ત્રીજી લહેરના ખતરાને જોતા કેન્દ્ર સરકાર અત્યંત સતર્ક દેખાઈ રહી છે.
આગામી તહેવારોની સિઝનમાં ત્રીજી લહેરનો ખતરો
કેન્દ્ર સરકારે લોકોને સતર્ક રહેવાનું જણાવ્યું
પૂરી સાવધાની રાખીને તહેવાર મનાવવાની અપીલ
કેન્દ્ર સરકારે ગુરુવારે કોરોના કેસોમાં વધારાની ચેતવણી આપીને વેક્સિન સ્વીકૃતિ, કોવિડ અનુકૂળ વ્યવહાર, જવાબદારી સાથે યાત્રા અને જવાબદારીપૂર્વક તહેવાર મનાવવાનું આહવાન કર્યું છે.
પ્રેસ બ્રીફિંગ દરમિયાન આરોગ્ય સચિવે કહ્યું કે સરવાળે કોરોનાના કેસો સ્થિર બન્યા છે અને કેરળમાં પણ કેસોમાં ઘટાડો આવી રહ્યો છે. આગામી બે-ત્રણ મહિનામાં આપણે વધારે સતર્ક રહેવાની જરુર જેથી કરીને કેસો ન વધે, આ તહેવારોનો પણ સમય છે અને આવા સમયે જ કેસો વધતા હોય છે. તેમણે કહ્યું કે અમારી બધાને અપીલ છે કે સાવધ રહેજો અને મહામારી પ્રબંધનમાં આપણે જે લાભ મેળવ્યો છે તેને ટકી રહે તે જોવાની આપણા બધાની ફરજ છે.
ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યાર 24 કલાકમાં 30570 નવા કેસ આવ્યા છે અને સાથે 431 લોકોના મોત થયા છે. આ સમયે 38303 દર્દી સાજા થયા છે. નવા આંકડાની સાથે દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 3 કરોડ 33 લાખ 47 હજાર 325 થઈ છે. અત્યારસુધીમાં 4 લાખ 43 હજાર 928 દર્દીના મોત થયા છે. દેશમાં 3 લાખ 42 હજાર 923 દર્દીની સારવાર ચાલી રહી છે.
દિલ્હીમાં એક પણ મોત નહીં
દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના 57 નવા કેસ આવ્યા છે અને કોઈ પણ સંક્રમિતે જીવ ગુમાવ્યો નથી. સંક્રમણ દર 0.08 ટકા નોંધાયો છે. દિલ્હીમાં સપ્ટેમ્બરમાં સંક્રમણના કારણે એક દર્દીનું મોત થયું છે. સ્વાસ્થ્ય બુલેટિનના અનુસાર દિલ્હીમાં કુલ કેસ 14,38,345 થયા છે તો તેમાંથી 14.12 લાખથી વધારે સાજા થયા છે. દિલ્હીમાં 25083 લોકોના મોત થયા છે. અહીં સંક્રમણ દર 0,05 ટકા છે તો 28 માર્ચ બાદ સંક્રમણના કેસ સૌથી ઓછા રહ્યા છે.
કેરળમાં નથી ઘટી રહ્યા કેસ
કેરળમાં બુધવારે કોરોના વાયરસના 17,681 નવા કેસ આવ્યા તો સાથે 208 લોકોના મોત થયા હતા. કુલ કેસની સંખ્યા વધીને 44,24,046 થઈ છે અને સાથે મૃતકોની સંખ્યા 22,987 થઈ છે. સરકારની તરફથી જાહેર સૂચના અનુસાર 1 દિવસમાં 25,588 લોકો સાજા થયા છે અને સાથે કુલ 42,09,746 લોકો સાજા થયા છે. 24 કલાકમાં 97,070 ટેસ્ટની તપાસ કરાઈ છે.