દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી હોવાની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકારે કરી દીધી છે.
કોવિડ ફોર્સના પ્રમુખ એનકે અરોરાની મોટી જાહેરાત
ભારતમાં આવી ચૂકી છે કોરોનાની ત્રીજી લહેર
દેશમાં 75 ટકા કેસ ઓમિક્રોનના
કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ એનકે અરોરાએ જણાવ્યું કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરે દસ્તક દઈ દીધી છે અને 75 ટકા કેસ ઓમિક્રોનના છે. તેમણે કહ્યું કે ભારતમાં સ્પસ્ટ રીતે કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે. તેમણે એવું પણ જણાવ્યું કે 15થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
ભારતના મહાનગરોમાં 75 ટકાથી વધારે કેસ ઓમિક્રોનના
એનટીએજીઆઈ પરના નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના વડા ડો. અરોરાએ જણાવ્યું કે મહાનગરોમાં 75 ટકાથી વધારે કેસ ઓમિક્રોનના છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં દેશમાં ઓમિક્રોનના કુલ કેસોમાં ૭૫ ટકા કેસ નોંધાયા છે. હતું કે, રાષ્ટ્રીય સ્તરે તમામ વેરિએન્ટ્સમાંથી 12 ટકા છેલ્લા અઠવાડિયામાં ઓમિક્રોન કેસ રહ્યા છે. પરંતુ છેલ્લા સપ્તાહના આધારે આ રેશિયો 28 ટકા સુધી પહોંચી ગયો છે. આવી પરિસ્થિતિમાં, ઓમિક્રોન કોરોનાના બીજા વેરિયન્ટની તુલનામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
દિલ્હી-મુંબઈ અને કોલકાતામાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ
ભારતમાં હાલમાં દિલ્હી અને મુંબઈમાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ છે. દિલ્હી અને મુંબઈમાં આજે કોરોનાના 12000થી વધારે કેસ આવ્યાં છે. દિલ્હીમાં કોરોના મહામારી બેકાબુ થતા લોકોમાં દહેશતનો માહોલ છે. સોમવારે પહેલી વાર કોરોનાના 4000થી વધારે નવા કેસ આવ્યાં બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 14.58 લાખને પાર પહોંચી છે. તેની સાથે ફરી એક વાર પોઝિટિવીટી રેટ વધીને 6.46 ટકા થઈ ગયો છે. કોરોના સંક્રમણને કારણે આજે 1 દર્દીનું મોત થયું છે. સંક્રમણ દર વધતા હવે દિલ્હીમાં લોકડાઉન લગાડવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીમાં સતત 10મા દિવસે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે.