લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા આજે પ્રચાર પડઘમ શાંત થશે. આજે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકો પર રાજકીય પક્ષોનો આખરી ઘડીનો પ્રચાર ઝંઝાવતી બની રહેશે.
અમદાવાદ: લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન પહેલા આજે પ્રચાર પડઘમ શાંત થશે. આજે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગુજરાતમાં 26 બેઠકો પર રાજકીય પક્ષોનો આખરી ઘડીનો પ્રચાર ઝંઝાવતી બની રહેશે.
જેમાં CM રૂપાણી, DyCM નીતિન પટેલ સહિતના આગેવાનો પણ હાજરી આપશે. તો અમિત શાહ પણ આજે પોતાના મત વિસ્તારમાં સ્થાનિકો સાથે મુલાકાત કરશે. અમિત શાહ ઘાટલોડિયા, બોડકદેવ, વેજલપુરના સેક્રેટરીઓ અને ચેરમેનનો મળશે અને ત્યાર બાદ સાણંદમાં રોડ શો અને તેના પછી દરબાર ગઢ ચોકમાં જાહેરસભા સંબોધશે. પ્રચારના આખરી દિવસે કોંગ્રેસના નેતાઓ પણ પ્રચાર કાર્યક્રમમાં વ્યસ્ત છે.
સામાં કોંગ્રેસ મહાસભામાં અશોક ગેહલોત પણ જાહેરસભા સંબોધશે. હાર્દિક પટેલ પણ જૂનાગઢ સહિતના સ્થળો પર જાહેરસભાને સંબોધન કરશે. તો ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલના રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમિત ચાવડા અને રાજીવ સાતવ પણ આજે પત્રકાર પરિષદ સંબોધશે.