ફાયઝરે બુધવારે કહ્યું કે તેમની રસીનો ત્રીજો ડોઝ ઓમિક્રોનની સામે રક્ષા આપે છે. ભલે શરુઆમાં તેના બે ડોઝની અસર ઘણી ઓછી નજરે પડી હોય .
બૂસ્ટર ડોઝે એન્ટીબોડીના સ્તરને 25 ગણો વધારી દીધો છે
રસીના ત્રણ ડોઝથી એન્ટીબોડીમાં થનારો ઉછાળો કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ
બન્ને ડોઝ હજું પણ ઓમિક્રોનથી થનારી ગંભીર બિમારીથી સુરક્ષા પ્રદાન કરી શકે છે
બૂસ્ટર ડોઝે એન્ટીબોડીના સ્તરને 25 ગણો વધારી દીધો છે
ફાયઝર અને તેના સહયોગી બાયોએનટેકે કહ્યું કે પ્રયોગશાળામાં પરિક્ષણોમાં જોયું કે ઓમિક્રોનની વિરુધ્ધ એક બૂસ્ટર ડોઝે એન્ટીબોડીના સ્તરને 25 ગણો વધારી દીધો છે. ફાયઝરે એક પ્રેસ જાહેરાતમાં શરુઆતના પ્રયોગશાળાના આંકડાની જાહેરાત કરી અને જણાવ્યું કે આની અત્યાર સુધી સમીક્ષા નથી થઈ.
રસીના ત્રણ ડોઝથી એન્ટીબોડીમાં થનારો ઉછાળો કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ
કંપની પહેલાથી ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને રસીના નિર્માણના કામમાં જોડાયેલી છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોના રસીના ત્રણ ડોઝ એક સાથે એન્ટીબોડીમાં આવનારો ઉછાળો કોઈ પણ અસરનો સામનો કરવા માટે સક્ષમ છે. એન્ટીબોડીનું સ્તર જણાવે છે કે એક રસી કોરોનાના સંક્રમણને જેટલી સારી રીતે રોકી શકે છે તે પ્રતિરક્ષા પ્રણાલીની સુરક્ષાના ફક્ત એક પરત ભર છે.
બન્ને ડોઝ હજું પણ ઓમિક્રોનથી થનારી ગંભીર બિમારીથી સુરક્ષા પ્રદાન કરી શકે છે
ફાયઝરે કહ્યું કે રસીના બન્ને ડોઝ ગંભીર બિમારીથી બચાવી શકે છે. ફાયઝરના મુખ્ય કાર્યકારી અધિકારી અલ્બર્ટ બોર્લાએ એક નિવેદનમાં કહ્યું, જો કે રસીના બન્ને ડોઝ હજું પણ ઓમિક્રોન સ્વરુપના કારણે થનારી ગંભીર બિમારીથી સુરક્ષા પ્રદાન કરી શકે છે. પરંતુ આ પ્રારંભિક આંકડાથી એ સ્પષ્ટ થાય છે કે અમારી રસીના ત્રીજા ડોઝ સાતે સુરક્ષા વધારે થઈ જાય છેય
અધ્યયનમાં જોવા મળ્યું કે પહેલાથી સાર્સ સીઓવી-2થી સંક્રમિત લોકોને રસી લગાવ્યા બાદ લેવામાં આવેલા નમૂનામાં સંક્રમણની વિરુદ્ધ તેની અસર ઘણી વધારે જોવા મળી. ત્યારે ફક્ત રસી લેનારા પર તેની અસર 41 ગણી ઓછી જોવા મળી રહી છે.