નાગરિકતા સંશોધન કાયદા પર પશ્ચિમ બંગાળમાં હિંસા બંધ થવાનું નામ નથી લઇ રહી. સતત ત્રીજા દિવસે રવિવારે નદિયા, ઉત્તર 24 પરગણા અને હાવડા જિલ્લામાં હિંસાની ઘટનાઓ જોવા મળી. ઉત્તર 24 પરગના અને નદિયા જિલ્લામાં અમદંગા અને કલ્યાણી વિસ્તારમાં પ્રદર્શનકારીઓએ ઘણા રસ્તાઓને ચક્કાજામ કરી દીધા અને રસ્તાઓ પર આગ લગાવવાની ઘટનાઓ બની.
નાગરિકતા સંશોધન કાયદા પર પશ્ચિમ બંગાળમાં હિંસા
દેગંગામાં દુકાનોમાં તોડ-ફોડ, ટાયર સળગાવામાં આવ્યા
રાજ્યના 5 જિલ્લામાં ઇન્ટરનેટ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય
આ દરમિયાન તંત્રે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ખોટા સમાચારને રોકવા માટે માલદા, મુર્શિદાબાદ, હાવડા, ઉત્તરી 24 પરગનામાં અને દક્ષિણી 24 પરગનાના ઘણા ભાગમાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓની અપીલ બાદ પણ રાજ્યમાં હિંસાની ઘટનાઓ રોકાવાનું નામ લઇ રહી નથી. દેગંગામાં દુકાનોમાં તોડ-ફોડ કરવાની સાથે જ ટાયર સળગાવવામાં આવ્યા.
સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસના જવાનોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે. ગત બે દિવસની તુલનામાં હાવડા-સિયાલદહ અને ખડગપુર ખંડો પર ટ્રેનની અવર-જવર સામાન્ય રહી. બીજી તરફ એક અધિકારીએ કહ્યું, વારંવાર સૂચના આપવા છતા કેટલાક સાંપ્રદાયિક લોકો હિંસક પ્રદર્શન કરી રહ્યા છે. એવામાં તંત્રે રાજ્યના 5 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજયના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ શાંતિની અપીલ કરી છે અને પ્રદર્શનકારીઓને વિશ્વાસ અપાવ્યો છે કે, સંશોધિત કાયદો રાજ્યમાં લાગૂ થશે નહીં. ચેટર્જીએ કહ્યું, અમે તમામ સૌને શાંતિ બનાવી રાખવા માટે અપીલ કરીશું.