ગાંધીનગર: આજે વિધાનસભા બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે આજના દિવસ દરમિયાન મહત્વની બે બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં રાજ્યપાલના પ્રવચનનો આભાર પ્રસ્તાવ રજૂ થશે. ત્યાર બાદભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યપાલના પ્રવચન પર મંતવ્યો રજૂ કરશે.
સવારે 9.30થી 2 વાગ્યા સુધી પ્રથમ બેઠક ચાલશે. બપોરે 3 વાગ્યાથી બીજી બેઠકની શરૂઆત થશે. બીજી બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરીથી કરવામાં આવશે. જેમાં નાણા માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ નર્મદા કલ્પસર અને પાટનગર યોજના પરના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત ઉર્જા અને જળ સંપત્તિ પરના પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવશે. અલગ અલગ વિભાગના અહેવાલો મેજ પર મુકવામાં આવશે. ત્યાર બાદ રાજ્યપાલના સંબોધન પર પણ ચર્ચા થશે.
નાણાં મંત્રી તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે છઠ્ઠી વખત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. જોકે આ બજેટ લોકસભાની ચૂંટણીને લઈ પૂર્ણ કદનું ન હોવા છતાં તેમાં સરકાર કેટલીક નવી જાહેરાતો કરી હતી. ચૂંટણીના કારણે લેખનુદાન રજૂ કરવામાં આવેલ.