દ્વારકાઃ ખંભાળીયામાં તાલુકા શાળા નં3માં સતત ત્રીજા દિવસે મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ રહ્યું હતું. મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ રહેતા બાળકો ભોજનથી વંચિત રહ્યા હતા. મધ્યાહન ભોજનના કર્મચારીઓ પગાર બીલ બાબતે હડતાળ પર ઉતરતા માસુમ બાળકોને મધ્યાહન ભોજન મળ્યું નથી.
સરકારની ઉદાસીનતામાં માસુમ બાળકોનો હક છીનવાયો હતો. મધ્યાહન ભોજન કેન્દ્રના કર્મચારીઓને તંત્ર મનાવવામાં સતત નિષ્ફળ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી મધ્યાહન ભોજનના કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. અને તંત્રની બેદરકારીથી બાળકોને ત્રણ દિવસથી મધ્યાહન ભોજન મળતું નથી.
ત્યારે અનેક સવાલો ઉદભવે છે કે માસુમ બાળકોના હક કેમ છીનવાયો? બાળકોને ભોજન કેમ ભોજન મળતુ નથી? તંત્ર કેમ કર્મચારીઓનો ઉકેલ લાવતી નથી? માસુમ બાળકોનો વાંક શું?