ખેડા જિલ્લાના નડિયાદમાં સ્વાઇન ફ્લૂના એકી સાથે બે કેસ સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોના વચ્ચે સ્વાઇન ફ્લૂએ વધારી ચિંતા
ખેડા જિલ્લાના નડિયાદમાં બે કેસ નોંધાયા
નડિયાદના બે બાળકોને થયો સ્વાઇન ફ્લૂ
ગુજરાતમાં કોરોના અને લમ્પી વાયરસના કહેર વચ્ચે હવે સ્વાઇન ફ્લૂ નામની ઉપાધિએ દેખા દેતા લોકોમાં ચિંતા જાગી છે. નવા સંકટ સમાન સ્વાઇન ફ્લૂના બે પોઝિટિવ કેસ ખેડા જિલ્લાના નડિયાદમાં સામે આવતા લોકોમાં ભય ફેલાયો છે. સાથે જ ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. નડિયાદના બે બાળકોને ખરાબ તબિયતની ફરિયાદ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકોને સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલિક ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે ટેસ્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયુ હતું. હાલ બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે એક બાજુ મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી જેવા રાજ્યોમાં સ્વાઇન ફ્લૂના વધતાં કેસ વચ્ચે હવે ગુજરાતમાં પણ સ્વાઇન ફ્લૂના કેસ સામે આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે.
સ્વાઈન ફ્લૂ રોગ શું છે ?
સ્વાઈન ફ્લૂ એ ખૂબ જ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. અમે તેને H1N1 તરીકે પણ જાણીએ છીએ. તે ડુક્કર દ્વારા ફેલાતો ખતરનાક ચેપી રોગ છે. આ ચેપગ્રસ્ત પ્રાણી અથવા માણસના સંપર્કમાં આવવા પર, H1N1 વાયરસ માનવ શરીરમાં હાજર માનવ ફ્લૂના તાણના સંપર્કમાં આવે છે. જેના કારણે આ રોગ પ્રાણીઓ દ્વારા માણસોમાં પણ ફેલાય છે. જો રોગનું સ્તર વધુ ખરાબ થાય છે તો તે લોકોનો જીવ પણ લઈ લે છે.
તાવ, શરદી, છીંક આવવી સહિતની સમસ્યા સ્વાઈન ફ્લૂના લક્ષણ
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂ H1N1 વાયરસના ચેપને કારણે ફેલાય છે. આ રોગમાં તાવ, શરદી, છીંક આવવાની સમસ્યા, ગળામાં દુખાવો, થાક, શ્વાસ લેવામાં તકલીફ સહિતની સમસ્યા જાગે છે. જો ચેપ ગંભીર હોય તો ન્યુમોનિયા અને છાતીમાં દુખાવો થઈ શકે છે. સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તે પછી 48 કલાકની અંદર દવાઓ લેવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે લક્ષણો દેખાય કે તરત જ સારવાર લેવી જોઈએ અને યોગ્ય સમયે દવા લેવી જોઈએ. આ સિવાય સ્વાઈન ફ્લૂથી બચવા માટે આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખવું જોઈએ. ચેપના કિસ્સામાં આરામ કરો અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવો ખોરાક ખાઓ. આ ચેપમાં, ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લેવી જોઈએ.