મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે ચેતવણી આપી છે કે રાજ્યમાં કોરોનાની બીજી લહેર હજુ પૂરી થઈ નથી અને દિવાળી પછી ત્રીજી લહેર આવી શકે છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેની ચેતવણી
દિવાળી પછી આવશે ત્રીજી લહેર
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હજુ પૂરી થઈ નથી
મહારાષ્ટ્રમાં જ્યારે ઉદ્ધવ ઠાકરે સરકાર કોરોનાના પ્રતિબંધો હટાવીને દુકાનો તથા ઓફિસોનો ટાઈમ વધારી દીધો અને બધુ ધીરે ધીરે ખુલ્લુ મૂકી રહી છે બરાબર ત્યારે જ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મમરો મૂક્યો છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે દિવાળી પછી ત્રીજી લહેરની આશંકા ટાસ્ક ફોર્સે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હાલમાં તો ત્રીજી લહેરની શક્યતા નથી પરંતુ દિવાળી પછી આવી શકે છે. ટાસ્ક ફોર્સે દિવાળી પછી ત્રીજી લહેરની ચેતવણી આપી છે.
દિવાળી સુધીમાં બધા લોકોનું વેક્સિનેશન
રાજેશ ટોપેએ જણાવ્યું કે કોરોનાનો કોઈ નવો વેરિયન્ટ આવ્યો નથી અને હજુ સુધી જે લોકોને વેક્સિન મળી નથી તેમને દિવાળી સુધીમાં વેક્સિન આપી દેવા માટે ઝૂંબેશ ઝૂંબેશ શરુ કરવામાં આવશે.
દુકાનો અને સંસ્થાઓ 9ને બદલે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
મહારાષ્ટ્ર સરકારે દિવાળી પહેલા મંગળવારે કોરોનાના નિયમોમાં વધુ રાહત આપીને રેસ્ટોરાં અને દુકાનો માટે સમય વધારવાનો નિર્ણય લીધો છે. તાત્કાલિક અસરથી અમલમાં આવતા નવા ઓર્ડર મુજબ આગામી કેટલાક દિવસોમાં ઉત્સવની ખરીદીના ધસારાને સંભાળવા માટે તમામ દુકાનો અને સંસ્થાઓને રાત્રે 9 વાગ્યાને બદલે રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રહેવાની મંજૂરી આપવામાં આવશે.
રાત્રે ૧૦ વાગ્યા પછી પણ તમામ હોટેલ, રેસ્ટોરાં, રેસ્ટોરાં ખુલ્લી રહી શકે છે. 22 ઓક્ટોબરથી તમામ થિયેટર અને મનોરંજન પાર્ક ખોલવામાં આવશે. જોકે ભીની સવારી અથવા વોટર પાર્ક ને ફરીથી ખોલવાનો નિર્ણય હાલ માટે મુલતવી રાખવામાં આવ્યો છે.