પોતાનું ઘર ખરીદવાની ચાહત હોય એટલે મિડલ ક્લાસ જીવન જીવતો વ્યક્તિ લોન લે અને બાદમાં તેના હપ્તા ભર્યા કરે. લોન લેતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. તેમાંથી જ એક વાત છે કે કેટલા વ્યાજદર પર તમે લોન લો છો. ઓછા વ્યાજદરનો મતલબ છે તમારે ઓછી જ રકમ ચૂકવવી પડશે.
હોમ લોન લેવાનું વિચારો છો
ઓછા વ્યાજદરે મળશે લોન
પ્રાઇવેટ બેઁકમાં ઓછા વ્યાજદર પર લોન
RBIએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે એટલે રકમ ઓછી થઇ ગઇ છે. એવામાં જો તમે તે બેઁક પાસેથી લોન લો છો તો તમને સૌથી સસ્તી લોન મળશે. તેમાં સરકારી બેઁક સૌથી ઉપર છે પરંતુ કોટક મહિન્દ્રા બેઁક જેવી પ્રાઇવેટ બેઁક પણ ટોપ પર છે. કોટક મહિન્દ્રા બેઁક પોતાના ગ્રાહકોને 6.75 ટકા વ્યાજદરથી લોન આપે છે. જે બાદ બીજા નંબર પર સરકારી ક્ષેત્રની બેઁક પંજાબ નેશનલ બેઁક આવે છે જે 6.8 ટકા પર લોન આપે છે.
એક્સપર્ટ અનુસાર ઘણાં કારણો છે, જેના આધારે કહી શકાય કે હોમ લોન લેવાનો આ યોગ્ય સમય છે. જો તમે સૌથી નીચો વ્યાજ દર આપનારા ટોચના 15 લેન્ડર્સની યાદી જુઓ, તો તમને ખ્યાલ આવશે કે, તે ફક્ત 6.75 ટકાથી 6.95 ટકાની વચ્ચે હોમ લોન આપી રહ્યા છે. આ વ્યાજ દર 20 વર્ષ માટે 75 લાખ રૂપિયાની હોમ લોન પર છે.
કઇ બેઁક કેટલા વ્યાજદર પર આપે લોન
મહત્વનું છે કે આ ટોચના 15 લેન્ડર્સ સિવાય ઘણા એવા લેન્ડર્સ છે કે જે લગભગ સમાન વ્યાજ દરે હોમ લોન આપી રહ્યા છે. ICICI બેંક અને HFC ક્ષેત્રની દિગ્ગજ HDFC 7 ટકાના દરે હોમ લોન આપી રહી છે. જ્યારે જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંકઓફ ઈન્ડિયા 7.2 ટકાના દરે 75 લાખ રૂપિયાની હોમ લોન આપી રહી છે.