એક અનુમાન અનુસાર સામાન્ય વ્યક્તિના માથામાં લગભગ એક લાખ વાળ હોય છે. તેમાંથી ઘણી 90 ટકા વાળ એવા હોય છે જે ખરતા અને આવતા રહે છે, પરંતુ ઘણીવાર કોઇક કારણ સર વાળ ખરવાની પ્રક્રિયા ઝડપી બને છે. આવા સંજોગોમાં વ્યક્તિનુ ટાલિયા થવાનુ સ્વાભાવિક છે. તેનાથી બચવા માટે લોકો જાતજાતના દેશી નુસખાઓની સાથે મોર્ડન, આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓ અને લોશનનો ઉપયોગ કરે છે. તેનાથી પણ ફર્ક ન પડે તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે.
વાળ ખરવાના કારણો
વાળ ખરવાનુ મુખ્ય કારણ હેરિડિટી છે. તેના સાથે ખરાબ ડાયેટ, વધુ પડતો તણાવ, કેટલીક બિમારીઓ, હોર્મોનનુ અસુંતુલન અને દવાઓના રિએક્શનથી પણ વાળ ખરે છે.
બે પ્રકારે થાય છે ટ્રાન્સપ્લાન્ટ
હેર ટ્રાન્સપ્લાન્ટ બે રીતે થાય છે. પહેલુ ફોલિકુલર યુનિટ એક્ટ્રક્શન(એફયુઇ) અને બીજુ ફોલિકુલર યુનિટ ટ્રાન્સપ્લાન્ટેશન(એફયુટી). એફયુઇમાં ડોનર ભાગમાંથી બે-બે વાળ કાઢીને લગાવાય છે જ્યારે એફયુટીમાં વાળનો એક ભાગ (સ્ટ્રીપ) કાઢી લેવાય છે. તેમાં ટાંકા પણ લેવા પડે છે. બંનેમા વાળને સેલ્સ સહિત કાઢવામાં આવે છે, જેથી ટ્રાન્સપ્લાન્ટ બાદ સેલ્સ એક્ટિવ થઇ જાય.
ટ્રાન્સપ્લાન્ટના કેટલાક રિસ્ક
ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન અને તે પછી દર્દ થવો સામાન્ય બાબત છે. જો અસહ્ય દર્દ થતો હોય તો ડોક્ટરને આ અંગે જણાવો
વાળ કાઢ્યા હોય તે ભાગ 3-18 અઠવાડિયા સુધી સુન્ન રહી શકે છે. જો આમ થાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવો.
ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન બ્લિડિંગ થઇ શકે છે. કેટલાક લોકોમાં ઝડપથી તો કેટલાક લોકોમાં ઘીમે ઘીમે ઠીક થાય છે.
ચહેરા અને માથા પર સોજો આવવો સામાન્ય બાબત છે. જો આમ થાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવીને ઇલાજ લો.
ઘણી વાર અનુચિત અને ગંદા ઉપકરણોના ઉપયોગથી ઇન્ફેક્શનની આશંકા રહે છે. તેથી હાઇજીનનું ધ્યાન રાખો.
ટ્રાન્સપ્લાન્ટ બાદ માથામાં પોપડી થવાથી ખંજવાળ આવે છે. કેટલાક લોકોને શેમ્પુથી રાહત મળે છે તો કેટલાક માટે સમસ્યા ગંભીર બને છે.
આટલી સાવધાની જરુરી
ટ્રાન્સપ્લાન્ટના એક અઠવાડિયા સુધી વિશેષ સાવધાની રાખો , જેથી કોઇ પ્રકારનુ ઇન્ફેક્શન ન થાય. તેમાં માથાને ધુળ, માટી અને પોલ્યુશનથી બચાવવાના હોય છે. ટોપી, હેલમેટ અને વીગ પહેરવાની હોય છે. વાળ કેવી રીતે ધોવા તે ડોક્ટર જ જણાવે છે. કેટલાક લોશન અને એન્ટીબાયોટિક્સ દવાઓ પણ આપવામાં આવે છે. લોશનને પ્રભાવિત ભાગમાં લગાવવાનુ હોય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ એક્સપર્ટ પાસેજ કરાવવુ જોઇએ.