દરેક ઘરમાં સકારાત્મક ઉર્જા આવે તે માટે મંદિરનું હોવુ ખૂબ જરૂરી છે. ઘરમાં પૂજાનુ સ્થાન સરખી જગ્યાએ હોય તો ઘરની કેટલીક સમસ્યા તો આપોઆપ જ દુર થઇ જાય છે. સ્વાસ્થ અને મનની સમસ્યાઓનુ નિવારણ ખુબ જલ્દી થઇ જતું હોય છે પરંતુ જો આ 5 ભૂલ કરશો તો તમારા ઘરની સમૃદ્ધિ અને સુખ નાશ પામશે.
મંદિર સ્થાપનાના નિયમો જાણી લો
વાસ્તુ પ્રમાણે મંદિરની કરો સ્થાપના
પૂજાનું સ્થાન એક જ જગ્યાએ રાખો
મંદિર અથવા પૂજા સ્થાનનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જ્યારે સ્થાપનાના નિયમોનુ પાલન કરવામાં આવે. તે માટે જરૂરી છે મંદિરની વ્યવસ્થિત રીતે સ્થાપના કરવી અને પુજા સ્થળને પવિત્ર રાખવું.
આ વાતોનું ધ્યાન રાખો
સામાન્ય રીતે પૂજાનુ સ્થાન કે મંદિર ઇશાન ખૂણામાં હોવું જોઇએ. જો ઇશાન ખુણામાં નથી સ્થાપના થઇ શકતી તો પૂર્વ દિશામાં સ્થાપના કરો.
પૂજાનુ સ્થાન એક જ હોવું જોઇએ, તેને વારે ઘડિયે ન બદલો.
પૂજાનુ સ્થાન સામાન્ય પીળાશ પડતુ કે સફેદ રાખો, ઘાટા રંગ ન વાપરો.
ગુંબજ કે ખૂણા વાળા મંદિર કરતા નાના સ્થળ પર ભગવાનને બિરાજમાન કરો.
મંદિરમાં ભગવાનની સ્થાપનાના નિયમ
મંદિરમાં ભગવાનની મૂર્તિઓ એવી રીતે સ્થાપિત કરો જે રીતે ભીડ ન થાય.
મંદિરમાં જગ્યા રહે તે રીતે મૂર્તિઓને રાખવી જોઇએ.
જો મૂર્તિની સ્થાપના કરવી છે તો તે 12 આંગળથી વધુ ન હોવી જોઇએ. ચિત્ર ગમે તેટલુ મોટુ હોય શકે પરંતુ મૂર્તિ નહી. પૂજા સ્થાન પર શંખ, ગોમતી ચક્ર અને એક પાત્રમાં જળ ભરીને રાખો.
કેવી રીતે મંદિરને કરશો જાગૃત
બંને વેળાએ એક જ સમયે પૂજાનો નિયમ બનાવો. સાંજની પૂજામાં દીવો કરો, દિવાને પૂજા સ્થાનના મધ્યમાં રાખો. પૂજાના પહેલા થોડા મંત્રોચ્ચાર કરો. જેથી ઘર ઉર્જાથી ભરાઇ જશે.
મંદિર હંમેશા સાફ રાખો અને ત્યાં એક લોટામાં જળ ભરીને રાખો. તમે કોઇ પણ પૂજા કરતા હોવ જો કોઇ મંત્ર ન આવડે તો ગાયત્રી મંત્રનો જાપ કરો.