ધન પ્રાપ્તિ માટે રવિવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે જે પણ કાર્ય કરવામાં આવે છે એ સફળ થઇ જાય છે. શાસ્ત્રો અનુસાર ધનની કમી જે વ્યક્તિને છે એને રવિવારના દિવસે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે. કારણ કે રવિવારનો દિવસ ઉપાયો માટે શુભ માનવામાં આવે છે. અપાર ધન ધાન્ય સુખ સમૃદ્ધિ યશ વૈભવ મેળવવા માટે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો અજમાવી શકો છો. જો ઘરમાં નકારાત્મક શક્તિઓ હશે તો એની અસર ઝડપથી ખતમ થઇ જશે.
રવિવારે સૂતી વખતે એક ગ્લાસમાં દૂઘ ભરો અને દૂધથી ભરેલા આ ગ્લાસને માથા પાસે રાખીને સૂઇ જાવ અને સવારે ઊઠીને બદામના ઝાડ પર ચઢાવી દો આવું કરવાથી ધન સંબંધી સમસ્યાઓ દૂર થશે.
આ દિવસે સવારે કોઇને પણ ત્રણ ઝાડૂનું દાન કરો. આવું કરવા પર પણ ધનની સમસ્યા દૂર થઇ જશે.
એક ગ્લાસમાં દૂધ નાંખીને એમાં ચાંદીની વીંટી નાંખી દો. આા અચૂક ઉપાય છે જે રવિવારના દિવસે કરવામાં આવે છે. જે તમારી સમસ્યા દૂર કરવામાં મદદ કરશે.