મેદસ્વિતા ઘટાડવા માટે ભોજન કર્યા બાદ આ બે કામ જરૂર કરો. જેનાથી વજન કંટ્રોલમાં રહેશે અને તમારું ડાઈજેશન પણ સારું રહેશે.
ભોજન કર્યા બાદ આ બે કામ અવશ્ય કરો
વજન કંટ્રોલમાં રહેશે અને તમારું ડાઈજેશન પણ સારું રહેશે
સ્વસ્થ રહેવા માટે આ ટીપ્સને બનાવી લો આદત
ભોજન જમ્યા બાદ કરો આ બે કામ
આજકાલ મેદસ્વિતા અને બિમારીઓ વધવાનુ મોટુ કારણ અમારી લાઈફસ્ટાઈલ છે. અનહેલ્ધી ખાવાથી મેદસ્વિતા ઝડપથી વધે છે. તો કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી વજન વધવા લાગે છે. જો તમે ઈચ્છો છો કે મેદસ્વિતા ઘટે અથવા આગળ ના વધે તો ભોજન જમ્યા બાદ અમુક વાતોનો ખ્યાલ રાખો. જેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળશે. જે લોકો ફિટનેસનો ખ્યાલ રાખે છે તેઓ આ વાતનો પણ ખ્યાલ રાખે છે. ભોજનને પચાવવા માટે અને સ્વસ્થ રહેવા માટે પણ આ આદત બનાવી લો. આવો જાણીએ ખાવાનુ ખાધા બાદ એવા કયા બે કામ છે, જે તમારે કરવા જોઈએ.
વજન ઘટાડવા માટે ભોજન કર્યા બાદ કરો આ બે કામ
ભોજન કર્યા બાદ ફરવુ
તમે એક નિયમ બનાવી લો. જ્યારે પણ ભોજન જમો પછી તમે લંચ અથવા ડિનર કઈ પણ કરો. ત્યારબાદ થોડા સમય સુધી વોક અવશ્ય કરો. જેનાથી ભોજન પચાવવામાં સરળતા રહેશે અને મેદસ્વિતા પણ ઘટશે. તમે ભોજન કર્યા બાદ 15-20 મિનિટ હળવી વોક કરો. જેનાથી શરીર પર ફેટ જમા થશે નહીં. ખાવાનુ ખાઈને એકદમ બેસી જવાથી ભોજન મોડા પચે છે, જેનાથી શરીરનુ જાડાપણુ વધે છે.
ભોજન કર્યા બાદ ગરમ પાણી પીવો
બીજો નિયમ બનાવી લો કે જ્યારે પણ કશુ ખાવ ત્યારબાદ ગરમ પાણી અવશ્ય પીવો. જેનાથી પાચન સારું રહેશે અને મેદસ્વિતા પણ ઘટશે. ગરમ પાણી પીવાથી ખાવાનુ જલ્દી ડાઈજેસ્ટ થાય છે. જેનાથી વજન પણ ઘટે છે. ઑઈલી અથવા મીઠુ ખાધા બાદ ખાસ કરીને ગરમ પાણી જરૂર પીવો. આ વાતનો પણ ખ્યાલ રાખો કે ભોજન કર્યા બાદ તરત પાણી પીવુ જોઈએ નહીં. ભોજન કર્યાના ઓછામાં ઓછા અડધો કલાક પછી પાણી પીવુ હેલ્થ માટે ફાયદાકારક ગણાય છે.