વસંત પંચમીનો દિવસ જ્ઞાનની દેવી મા સરસ્વતીને સમર્પિત છે. આ દિવસે મા સરસ્વતીની પૂજાનું વિધાન છે. સરસ્વતી મા ને જ્ઞાન કલા અને સંગીતની દેવી કહેવામાં આવે છે. માન્યતા છે કે વસંત પંચમીના દિવસે સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધિ અને જ્ઞાન વધે છે. આ દિવસે સ્નાનનું પણ ખાસ મહત્વ માનવામાં આવે છે. પરંતુ વસંત પંચમીના દિવસે કેટલાક કાર્યોને વર્જિત માનવામાં આવે છે. એટલા માટે આ દિવસોને કેટલીક ચીજોને ભૂલથી પણ કરવી જોઇએ નહીં.
વસંત પંચમીના દિનસે પીળા રંગના કપડાં પહેરવાનું વધારે મહત્વ હોય છે. આ દિવસે ભૂલથી પણ કાળા અને લાલ રંગના કપડા પહેરવા જોઇએ નહીં.
આ દિવસે માંસ માછલીથી દૂર જ રહો. માત્ર સાત્વિક ભોજન જ કરો. વસંત પંચમીની દિવસે દારૂનું સેવન પણ કરવું જોઇએ નહીં.
વસંત પંચમી પાક અને હરિયાળીનો તહેવાર છે. આ દિવસે ક્યારે પણ પાક કાપવો જોઇએ નહીં. આ દિવસે ઘરમાં વાવેલા ઝાડને પણ નુકસાન પહોંચાડવું જોઇએ નહીં.
વસંત પંચમીના દિવસે સ્નાન કર્યા વગર કોઇ પણ કાર્ય કરશો નહીં. સવારે ઊઠીને સૌથી પહેલા સ્નાન કરીને મા સરસ્વતીનું પૂજન કરો અને ત્યારબાદ કંઇક ખાવ.
આ દિવસે ગુસ્સો કરવાથી બચો. તમારા વાણી પર કાબૂ રાખો. ભૂલથી પણ કોઇનું અપમાન કરશો નહીં. બીજા સાથે પોતાના માટે પણ કંઇ ખોટું બોલશો નહીં.