મહારાષ્ટ્રના ગોંદિયામાં જુનું બારણ કાઢતાં એક અકલ્પનીય ઘટના બની હતી જેને કારણે ઘરવાળા સહિત ગામલોકોમાં નવાઈ ફેલાઈ. હકીકતમાં બારણું સડી જતાં ઘરવાળાએ નવું નખાવવાનું આયોજન કર્યું હતું જે પછી જુનું બારણ કાઢવાનું કામ શરુ કરાયું હતું પરંતુ જેવું બારણું હટાવવા ગયાં કે તરત ઘરવાળાને આંચકો ખાઈને પાછળ હટી ગયાં. બારણાંની વચ્ચે કેટલાક જીવતા સાપ જોવા મળ્યાં હતા અને તે અહીંથી ફરી રહેલા જોવામાં આવતાં હતા. પરિવારને તો એમ હતું કે ઉધઈને કારણે બારણું ખવાઈ ગયું પરંતુ આ તો જબરી થઈ.
સાપ પકડવાવાળાને બોલાવવા પડ્યાં
બારણાની ફ્રેમમાં ફસાયેલા સાપ જોઈને ઘરવાળા પણ ગભરાઈ ગયા પરંતુ આખરે ગામમાં રહેતા સાપ પકડવાવાળાને બોલાવવા પડ્યાં તેમણે ચીપડા વડે એક એક પકડીને ડોલમાં નાખી દીધાં હતા અને પછી ડોલને ગામની બહાર જઈને ઠલવી દેવાઈ હતી અને આ રીતે સાપ તેના ઠેકાણે પડ્યાં હતા.
બારણું સાફ કરતી વખતે જોવા મળ્યાં
મકાન માલિક સીતારામ શર્માએ જણાવ્યું હતું કે, આ મકાનનું નિર્માણ 20 વર્ષ પહેલાં થયું હતું. તેમણે કહ્યું કે દરવાજાની ફ્રેમ ઉધઈથી ખાઈ ગઈ હતી. ગયા અઠવાડિયે, જ્યારે નોકરાણી નળી સાફ કરી રહી હતી, ત્યારે તેણે એક નાનો સાપ પકડ્યો અને જોયું કે બીજા કેટલાક સાપ ફ્રેમની અંદર સરકી રહ્યા છે. ત્યારબાદ સાપ પકડનારાઓને બોલાવવામાં આવ્યા હતા અને પછીના ચાર કલાકમાં, તેમને દરવાજાની ફ્રેમમાં 39 નાના સાપ મળી આવ્યા હતા, જેનાથી ઘરના માલિક અને તેના પરિવારને આંચકો લાગ્યો હતો.
સાપ બિનઝેરી, એક અઠવાડિયાની ઉંમર
સાપ પકડનાર બંટી શર્માએ જણાવ્યું કે, ઘરમાંથી મળી આવેલા સાપ ઝેરીલા નથી. સાપ પકડનારાઓએ જણાવ્યું હતું કે સાપ દરવાજાની ફ્રેમમાં રહેલી ઉધઈ ખાઈને જીવતા હતા. તેમણે કહ્યું કે સાપનો જન્મ એક અઠવાડિયા પહેલા થયો હોય તેવું લાગે છે અને તે 7 ઇંચથી વધુ નથી.