ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ યથાવત છે. ભારતની સેના સતર્ક છે અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે જ્યારે સરકાર પણ કટિબદ્ધતાથી કહી રહી છે કે ચીનને જડબાતોડ જવાબ આપીશું ત્યારે વિવાદના વંટોળ વચ્ચે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે પરિસ્થિતિ અંત્યત ખરાબ છે.
અમે ભારત અને ચીનથી વાત કરી રહ્યા છે : ટ્રમ્પ
ભારત અને ચીન વચ્ચે પરિસ્થિતિ અત્યંત વિકટ : ટ્રમ્પ
સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરવાના પ્રયત્ન કરીશું : ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પહેલીવાર નિવેદન આપતાં કહ્યું કે અમેરિકા ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ પર સંઘર્ષમાં સમાધાન કરાવવા માટે તૈયાર છે.
સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરવાના પ્રયત્ન કરીશું : ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પ ઑકલેન્ડના તુલસામાં એક રેલીને સંબોધિત કરવા જઈ રહ્યા હતા ત્યારે વિમાનમાં સવાર થાય તે પહેલા મીડિયા સાથે વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પરિસ્થિતિ અત્યંત વિકટ છે. અમે ભારતથી વાત કરી રહ્યા છે. અમે ચીનથી વાત કરી રહ્યા છે. જોઈએ શું કરી શકીએ છે. અમે તેમની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરવાના પ્રયત્ન કરીશું.
#WATCH It's a very tough situation. We are talking to India, we're talking to China. They have got a big problem there. They have come to blows and we’ll see what happens. We are trying to help them out: US President Donald Trump pic.twitter.com/auaVnDjFdK
નોંધનીય છે કે આ પહેલા અમેરિકાનાં વિદેશમંત્રીએ ચીનને આડેહાથ લીધું હતું અને જોરદાર પ્રહાર કર્યા હતા. વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાના પડોશમાં કપટી વલણ અપનાવી રહ્યું છે. અને તે અમેરિકા અને યુરોપ વચ્ચે સાઈબર કેમ્પેન કરીને પ્રચાર કરી રહ્યું છે જેથી અહિયાં સરકારને નબળી કરી શકાય. વિકાસશીલ દેશોને ચીન પોતાના દેવા તળે દબાવી દેવા માંગે છે. પોમ્પિયોએ સીધું ભારતનું સમર્થન કરતા કહ્યું કે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર ચીન તણાવ વધારી રહ્યું છે. દક્ષીણ ચીન સાગરમાં તે ખોટી રીતે પોતાનો વિસ્તાર વધારી રહ્યું છે.
કેમ ચાલી રહ્યો છે વિવાદ :
ભારત અને ચીન લદાખના ગલ્વાન વિસ્તારમાં સામસામે આવી ગયા છે. લાંબા સમયથી ચાલતા વિવાદમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલા લોહિયાળ અથડામણના ભારતના 20 જવાનોએ શહીદી વહોરી હતી. જોકે ચીને આધિકારિક આંકડાઓ સામે મૂક્યા નથી પરંતુ અહેવાલો મુજબ ચીનના પણ 40થી વધુ જવાનો માર્યા ગયા છે ત્યારે સરહદ પર તણાવ યથાવત્ છે. બીજી તરફ ભારતની સેના ગમે તે પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.