ફાઇનલમાં હાર મળ્યા પછી પૂર્વ ફાસ્ટ બોલરે પાકિસ્તાની ટીમ પર આકરા પ્રહારો કરતાં સ્વીકાર્યું હતું એ પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ માટે ક્વોલિફાય થવાને લાયક નહતી.
ઈંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું
પૂર્વ ફાસ્ટ બોલરે પાકિસ્તાની ટીમ પર આકરા પ્રહારો કર્યા
ઈંગ્લેન્ડે પાકિસ્તાનનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું છે. રવિવારે મેલબોર્નમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટથી જીત મેળવીને T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. જોસ બટલરની આગેવાની હેઠળની અંગ્રેજી ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડને જીતવા માટે 138 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે છ બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. આ કારમી હાર પછી પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયા પણ આવી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
When Shaheen walked off the field with an injury, England needed 41 runs to win off 29 balls 😲
ફાઈનલમાં હાર પછી હવે પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમીરે પાકિસ્તાની ટીમ પર આકરા પ્રહારો કરતાં સ્વીકાર્યું હતું એ પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ માટે ક્વોલિફાય થવાને લાયક નહતી. તમને જણાવી દઈએ કે આમિરે કહ્યું હતું કે સિડનીમાં રમાયેલ મેચોને બાદ કરતાં પાકિસ્તાનના બેટ્સમેનોનું પ્રદર્શન ઘણું નિરાશાજનક હતું અને એમનું માનવું હતું કે બોલિંગ ફ્રેન્ડલી પિચ પર પાકિસ્તાનના બેટ્સમેનોને સંઘર્ષ કરતા જોઈને તેને આશ્ચર્ય નહતું થયું.
દુનિયા જાણે છે અમે કેવી રીતે ફાઇનલમાં પંહોચ્યાં હતા - આમિર
જણાવી દઈએ કે ફાઇનલમાં હાર મળ્યા પછી આમિરે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે 'અમે ફાઇનલમાં રમ્યા તે હકીકત છે અને એ મોટી વાત પણ છે છે. જો કે અમે ફાઇનલમાં રમવાના લાયક નહોતા. આખી દુનિયા જાણે છે કે અમે કેવી રીતે ફાઇનલમાં પહોંચ્યા. અલ્લાહે અમને ત્યાં પહોંચવામાં મદદ કરી અને જો તમે અમારા બેટ્સમેનના પ્રદર્શન પર નજર કરો તો આમ પણ તમને પરિણામ ખબર પડી જશે. એકવાર અમે સિડનીમાંથી બહાર નીકળ્યા ત્યારે અમે જાણી ગયા હતા કે આવું જ થવાનું છે.
આગળ એમને કહ્યું હતું કે, 'મેં તમને પહેલા કહ્યું હતું કે જો MCGમાં પિચ એવી જ હશે જેવી પહેલી મેચમાં હતી તો પાકિસ્તાન ત્યાં સંઘર્ષ કરશે અને એમ જ થયું. ટોસ જીતીને સારી શરૂઆત તો કરી પણ અમને ખબર હતી ત્યાં કેવી સ્થિતિ છે.' આ સિવાય આમિરે મોહમ્મદ હરિસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા જેમને લેગ-સ્પિનર આદિલ રશીદની બોલ પર મોટો શોટ રમવા માટે વિકેટ ગુમાવી હતી. જનવાઈ દઈએ કે હરિસે 12 બોલમાં ચોગ્ગાની મદદથી આઠ રન બનાવી શક્યા હતા.
સમજદારી હોવી પણ ઘણી જરૂરી છે
આમિરે વાતચીતમાં આગળ કહ્યું હતું કે 'અમે હરિસ અને તેના મોટો રન બનાવવાના ઈરાદા વિશે વાત કરી હતી પણ ઈરાદાની સાથે સાથે સમજદારી હોવી પણ જરૂરી છે. જ્યારે પહેલા બોલ પર આદિલ રાશિદનો સામનો થયો ત્યારે જ તેને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો પણ સમજવું જોઈએ કે આવી પિચ પર નવા બેટ્સમેન સંઘર્ષ કરશે આપણ સમજદારી બતાવવાની જરૂર હતી.' જો કે જણાવી દઈએ કે પહેલા બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ આઠ વિકેટ ગુમાવીને 137 રન જ બનાવી શકી હતી અને છેલ્લી ચાર ઓવરમાં માત્ર 18 રન જ બનાવી શકી હતી.
મોહમ્મદ આમીરે 2020માં સંન્યાસ લીધો હતો
મોહમ્મદ આમીરની વિશે વાત કરી તો એમને 36 ટેસ્ટ, 61 વનડે અને 50 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આમિરે 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના કરિયરની શરૂઆત કરી હતી અને ટેસ્ટ ડેબ્યૂમાં છ વિકેટ ઝડપીને તે ચર્ચામાં આવ્યો હતો. જણાવી દઈએ કે 2010માં આમિર 50 ટેસ્ટ વિકેટ લેનાર સૌથી યુવા બોલર બન્યો હતો અને વર્ષ 2020માં આ ફાસ્ટ બોલરે નિવૃત્તિ લીધી હતી.