21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે યોગના કેટલા ફાયદા છે. આજકાલ કામ અને જીવનને સાચવવામાં આપણે એટલા બધા ખોવાઇ જઇએ છીએ કે, બાદમાં માનસિક તણાવના શિકાર થઇ જઇએ છીએ. તો કેટલાક આસન એવા પણ છે જેના દ્વારા તણાવ દુર કરી શકીએ છીએ. તો ચાલો આપણે જાણીએ ક્યા આસન દ્વારા સ્ટ્રેસ દુર થઇ શકે.
હલાસન
હલાસન શરીરને ઉર્જાવાન બનાવવાની સાથે શરીર માટે આરામદાયક આસન છે. આ પ્રેક્ટિસથી શરીરને સ્ટ્રેચ મળે છે અને કરોડરજ્જુને આરામ મળે છે. તે સ્નાયુઓને આરામ આપે છે તેમજ પીઠ, ગળા અને ખભાના દુ:ખાવામાં પણ હીલ કરે છે.
દંડાસન
આ આસન શરીરમાં શક્તિ વિકસાવવામાં મદદ કરે છે. આ આસન તાણ ઘટાડવામાં મદદ કરે છે. દેખાતી આ મુદ્રા કરીને તણાવ ઓછો કરી શકાય છે. ઓછામાં ઓછું ત્રણ વખત આ આસનનું પુનરાવર્તન કરો.
સેતુબંધાસન
આ આસન શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે. તે હાર્ટ બ્લોક્સ ખોલવા, મનને શાંત કરવા અને તાણ ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સ્થિતિમાં સેતુબંધાસન આસન કરો અને લગભગ 30 સેકંડ માટે રોકો. લગભગ ત્રણ વખત આ આસનનું પુનરાવર્તન કરો.
ઉષ્ટ્રાસન
ઉષ્ટ્રાસનના નિયમિત અભ્યાસથી તણાવ ઓછો થાય છે અને આખા શરીરમાં રક્ત પરિભ્રમણ વધે છે. આનો અર્થ એ છે કે શરીરમાં વધુ ઓક્સિજન પ્રવેશ કરે છે, જે શરીર અને મનને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
ત્રિકોણાસન
ત્રિકોણાસનના માત્ર કરોડરજ્જુ માટે જ નહીં પણ અસ્વસ્થતાને દૂર કરવામાં પણ મદદ કરે છે. આ કરવા માટે, સીધા ઉભા રહો. પગ વચ્ચે ગૅપ બનાવો. હવે જમણો હાથ જમીન પર રાખતી વખતે ડાબી બાજુ ખૂબ સીધો રાખવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં 30 સેકંડ પ્રતીક્ષા કરો.