ઘર એ ઘર કહેવાય પરંતુ ઘરમાં કેટલીક વસ્તુઓ પણ જીવનમાં ઉમંગ ભરવામાં મદદ કરે છે. ત્યારે વાસ્તુશાસ્ત્ર મુજબ બેડરુમમાં બારી હોવી એ સકારાત્મક ઉર્જાનું પ્રદાન કરે છે.
સુખી દાંપત્ય જીવન માટે અપનાવો વાસ્તુ ટિપ્સ
બેડરુમમાં વહેતા પાણીની તસવીર ન લગાવો
બેડરુમમાં દેવી દેવતાના ફોટા ન લગાવવા
દરેકને મનમાં એવુ હોય કે મારુ દાંપત્યજીવન ખુશખુશાલ રહે. જીવનમાં સુખ અને દુઃખતો આવ્યા કરે પરંતુ જીવનસાથી સાથે પ્રેમ યથાવત રહે તે દરેક ઇચ્છે છે. તેમાં પણ આજે આપણે જોઇએ છીએ કે વર્ષોના સુખી દાંપત્યજીવનમાં પણ તિરાડ પડે છે. તેનું કારણ વિશ્વાસનો અભાવ, સમજણ કે શંકા હોઇ શકે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ તમે જો ઘરમાં એવુ વાતાવરણ ઉભુ કરો તો દાંપત્યજીવન ખુશીથી પસાર કરી શકો છો ત્યારે જાણીએ સુખી દાંપત્યજીવન માટેની આ વાસ્તુ ટિપ્સ.
વિન્ડો જરુરી
વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવાહિત યુગલો માટે તેમના બેડરૂમમાં બારી હોવી જરૂરી છે. બારી હોય તો રૂમમાં સકારાત્મક ઉર્જા બરકરાર રહે છે. તેના જીવનમાં ખુશીઓ આવે છે.
દર્પણ
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં અરીસો લગાવવો યોગ્ય અને શુભ માનવામાં આવે છે. બેડરૂમમાં પૂર્વ દિશામાં અરીસો લગાવવાથી પતિ-પત્ની વચ્ચેના ભેદભાવનો અંત આવે છે. અને પરસ્પર પ્રેમ વધે છે.
લવબર્ડ્સ
વાસ્તુશાસ્ત્ર અનુસાર લવબર્ડ્સની તસવીર એ લગ્નજીવન માટે ફાયદારુપ છે. તેનાથી એકબીજાના પ્રેમમાં વધુ મધુરતા આવે છે, તેથી તેને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે.
ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખવી
બેડરૂમમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જે લગ્ન જીવન માટે નુકસાનકારક છે. ઈલેક્ટ્રોનિક વસ્તુઓના કારણે થતા વાસ્તુ દોષો પરસ્પર સંબંધોમાં નકારાત્મક અસર ઉભી કરે છે.
કાંટાવાળા ફુલ ન રાખો
બેડરૂમમાં સુકાઈ ગયેલા અથવા કાંટાવાળા ફૂલ ન રાખવા, કારણ કે તેનાથી પતિ-પત્ની વચ્ચે તણાવ વધે છે. વળી જે રુમમાં પતિ-પત્ની સૂતા હોય ત્યાં દેવી-દેવતાઓની તસવીર ન લગાવવી જોઈએ. આ ઉપરાંત વહેતા પાણીનો ફોટો કે પેઇન્ટિંગ પણ બેડરુમમાં ન લગાવવુ જોઇએ.