ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટે બે વિકલ્પ છે. ગંભીરે પહેલું નામ હાર્દિક પંડ્યાનું લીધું હતું જ્યારે બીજું નામ પૃથ્વી શૉનું હતું.
ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટે બે વિકલ્પ છે
ગંભીરે પહેલું નામ હાર્દિક પંડ્યાનું લીધું હતું જ્યારે બીજું નામ પૃથ્વી શૉનું હતું
ગૌતમ ગંભીરે પૃથ્વી શૉને પસંદ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું
પૃથ્વી શૉને બાંગ્લાદેશ ટુર માટે ન તો ઈન્ડિયા-A ટીમમાં જગ્યા મળી અને ન તો ટીમ ઈન્ડિયામાં તેને પસંદ કરવામાં આવી રહ્યા છે એમ છતાં પણ ગૌતમ ગંભીરનું માનવું છે કે તે કેપ્ટન બની શકે છે. ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ માટે બે વિકલ્પ છે. ગંભીરે પહેલું નામ હાર્દિક પંડ્યાનું લીધું હતું જ્યારે બીજું નામ પૃથ્વી શૉનું હતું.
While I am doing my bit of contributing towards team totals and run chases, you should too. Sit at home safely and support me and the team from the comfort of your living rooms. Keep playing and putting your skill to test against the best because #YaahanHaiKuchXtra@SportzXchangepic.twitter.com/aY8PhSivCE
જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા આ સમયે ટી-20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા છે અને તાજેતરની ન્યુઝીલેન્ડ સીરીઝમાં પણ તેની કેપ્ટનશિપમાં એમને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ બધા વચ્ચે ખરેખર આશ્ચર્યજનક વાત એ છે કે 2 વર્લ્ડ કપ જીતનાર ગૌતમ ગંભીરે પૃથ્વી શૉનું નામ કેપ્ટનશીપ માટે આપ્યું.
જો કે ગૌતમ ગંભીરે પૃથ્વી શૉને પસંદ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું. આ વિશે એમને કહ્યું હતું કે 'પૃથ્વી શો આક્રમક કેપ્ટન બની શકે છે. તે ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે કારણ કે તેની અંદર આક્રમકતા છે.' આગળ ગંભીરે કહ્યું હતું જે 'હું જાણું છું કે લોકો પૃથ્વી શૉની મેદાનની બહારની હરકતો વિશે વાત કરે છે પણ એ તો કોચ અને પસંદગીકારોનું કામ છે. પસંદગીકારોનું કામ માત્ર 15 ખેલાડીઓની પસંદગી કરવાનું નથી પણ લોકોને સાચા માર્ગ પર લાવવાનું એ છે. '
જણાવી દઈએ કે પૃથ્વી શોની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો અને એ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હતા. તો આ વાત તો સ્પષ્ટ છે કે પૃથ્વી શૉની અંદર લીડરશિપ ક્વોલિટી છે અને તેને હાલણઆ સમયણઆ સૌથી યુવા ખેલાડીઓમાં પણ માનવામાં આવે છે પણ શૉને હાલ ટીમ ઈન્ડિયામાં જગ્યા આપવામાં આવતી નથી.