બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કબજિયાતની કંકાસ મટી! આ બે વસ્તુ શરીરની ગંદકીને આરામથી બહાર કાઢી નાખશે

આરોગ્ય / કબજિયાતની કંકાસ મટી! આ બે વસ્તુ શરીરની ગંદકીને આરામથી બહાર કાઢી નાખશે

Last Updated: 02:28 PM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોમાં કબજિયાતની સમસ્યા જોવા મળે છે. આમ જોવા જઈએ તો, આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે. મોટાભાગે આ સમસ્યા ખાણી-પીણીમાં ગરબડ હોય ત્યારે, આપણી લાઇફસ્ટાઇલ ખરાબ હોય ત્યારે અથવા વધુ પ્રમાણમાં દવાઓનું સેવન કરવાથી થાય છે.

જ્યારે મળત્યાગ કરતી વખતે મુશ્કેલી પડે અથવા બળ લગાડવો પડે, ત્યારે સમજી જવું કે વ્યક્તિને કબજિયાત થઈ છે. કબજિયાત હોય ત્યારે પેટમાં દુખાવો થાય છે અને આપણી પાચનક્રિયાને અસર કરે છે. આ સિવાય માથામાં દુખાવો થવો, ગેસ, ભૂખ ન લાગવી, શરીરમાં નબળાઈતા આવવી અને ઊબકા જેવી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. જો કબજિયાતની યોગ્ય સમય પર સારવાર ન થાય તો અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ, આ સમસ્યાથી કેવી રીતે બચવું અને શું છે આનું નિવારણ.

આ બે વસ્તુ પેટની બધી ગંદકી બહાર કાઢશે અને ગમે તેવી કબજિયાતને દૂર કરશે. કબજિયાત દરમિયાન વ્યક્તિનું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી જેના કારણે વ્યક્તિ બેચેન અને મૂંઝવણમાં રહે છે. કબજિયાતની સમસ્યામાં વ્યક્તિને ખીલ, ચેહરા પર કાળા ડાઘ, કમરમાં દુખાવો અને પેટમાં ભારેપણું હોય તેવી સમસ્યા અનુભવાય છે. જો તમને પણ આ સમસ્યા છે, તો આજે જ જીરાનું અને નાની ઇલાયચીનું સેવન કરો.

વધુ વાંચો પુરુષોમાં કંઇક વધારે માત્રામાં હોય છે આ કેન્સરનો ખતરો, બસ ઓળખી લેજો આ લક્ષણોને

જીરું એટલા માટે કેમકે જીરામાં વધુ પ્રમાણમાં ફાઈબર હોય છે, જે આંતરડાની કાર્ય કરવાની ગતિને નિયમિત કરે છે. જો પેટ ફૂલતું હોય તો જીરાનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જીરાની મદદથી તમે તમારા ફૂલતા પેટને નિયંત્રણમાં લાવી શકો છો. નાની ઇલાયચીના થકી તમે ખીલ અને ચેહરા પરના કાળા ડાઘ આસાનીથી હટાવી શકો છો. જણાવી દઈએ કે, ખીલ અને ચેહરા પર કાળા ડાઘ થવાએ કબજિયાતની નિશાની છે.

જાણો શું કરવું

આના માટે તમારે થોડું જીરું લેવું અને તેને તવા પર શેકી લેવું. હવે આ જીરું તમારે ખાલી પેટે ખાઈ લેવું અથવા પાણીની મદદથી ફાકી લેવું. બીજી રીત છે કે, રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું પલાળી રાખો, હવે સવારે ઉઠો ત્યારે એ જ પાણીને ગાળીને પી લો. કબજિયાતથી છુટકારો મેળવવા માટે, તંદુરસ્ત આહાર લેવો પણ મહત્વપૂર્ણ છે જેમાં ફાઇબર અને આવશ્યક પોષક તત્વોનો સમાવેશ થાય છે.

આ સાથે કબજિયાતને દૂર કરવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવું પણ જરૂરી છે. વાત કરીએ નાની ઇલાયચીની, આનો ઉપયોગ તમે રોજ રાત્રે જમ્યા પછી કરી શકો છો. રાત્રે જમ્યાના અડધા કલાક પછી અને સૂતા પહેલા 4 થી 5 ઇલાયચીના દાણા ચાવવા અને ત્યારબાદ નવશેકું પાણી પીવું. આ પ્રક્રિયા કરવાથી કબજિયાત છૂમંતર થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lifestyle Tips health tips Stomach Problems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ