દુનિયાભરમાં વધી રહેલા ઓમિક્રોનના કેસ માથાનો દુઃખાવો બન્યા છે. ત્યારે એવા બે લક્ષણો અંગે જાણો કે જે મોટાભાગના દર્દીઓમાં જોવા મળી રહ્યા છે.
દુનિયાભરમાં સતત ઓમિક્રોનના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના આધારે અલગ અલગ લક્ષણ પણ સામે આવી રહ્યા છે, જો કે, હાલમાં જ અલગ અલગ સંશોધનોમાં એ તારણના આધારે 2 એવા લક્ષણો સામે આવ્યા છે, જે દુનિયાભરના લોકોમાં સૌથી વધારે દેખાઈ રહ્યા છે. આ લક્ષણોને સામાન્ય સમજવાની ભૂલ કરવી જોઈએ નહીં.
કોવિડ-19ના ડેલ્ટા વેરિએન્ટની સરખામણીમાં ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે, પણ અત્યાર સુધીમાં અલગ અલગ સંશોધનોના આધાર પર કહેવાય છે કે, ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોનમાં હોસ્પિટલમાં ભરતી થવા અને મૃત્યુનું જોખમ ખૂબ જ ઓછું છે. પણ તેમ છતાં ઓમિક્રોનથી બચીને રહેવામાં જ સજદારી છે. કારણ કે, આ ડેલ્ટાથી 4 ગણો વધારે ઝડપી સ્પ્રેડ થઈ રહ્યો છે. ઓમિક્રોનના લક્ષણોમાં શરદીના હળવા લક્ષણો જોવા મળે છે. શરૂઆતની સ્ટડીમાં જાણવા મળ્યા પ્રમાણે આ નવો વેરિએન્ટ ખૂબ જ હળવો છે. પણ તેમાં તાવ, ગળામાં ખરાશ, શરીરમાં વધારે પડતો દુખાવો, રાતે પરસેવો વળવો, ઊલ્ટી અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો શરીરમાં ઓમિક્રોન હોવાના સંકેતો આપે છે.
સ્ટડી અને રિસર્ચના આધારે ઓમિક્રોનના નવા નવા લક્ષણો સામે આવી રહ્યા છે. અલગ અલગ અધ્યયનોના તારણના આધારે 2 એવા લક્ષણો સામે આવ્યા છે. જે વધારે પડતાં લોકોમાં જોવા મળે છે.
આ 2 લક્ષણોથી રહો સાવધાન
દ સનમાં પ્રકાશિત થયેલ સ્ટડીમાં જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના 2 લક્ષણો નાક વહેવું અને માથાનો દુ:ખાવો શામેલ છે. જે સૌથી વધારો લોકોમાં જોવા મળે છે. યુનિવર્સિટી કોલોજે લંડનમાં મહામારી વિજ્ઞાન અને સ્વાસ્થ્ય સૂચના વિજ્ઞાનના પ્રોફેસર આઈરીન પીટરસનના જણાવ્યા અનુસાર, વહેતુ નાક અને માથાનો દુખાવો કેટલાય અન્ય સંક્રમણના પણ લક્ષણો છે. પણ તે કોવિડ 19 અથવા ઓમિક્રોનના લક્ષણો પણ હોઈ શકે છએ. જો કોઈનામાં આ બે લક્ષણો દેખાય તો, તેને કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
તો વળી અમુક સમય પહેલા દક્ષિણ આફ્રિકામાં મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ અને દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન વેરિએન્ટ કરનારા પહેલા વ્યક્તિ ડૉ. એંજેલિક કોએકત્ઝીએ કહ્યું હતું કે, જે દર્દી ઓમિક્રોનથી સંક્રમિકત છે, તેનામાં ગંદની કમી અથવા સ્વાદની કમીના કોઈ લક્ષણો દેખાતા નથી. આ ઉપરાંત ઓમિક્રોનથી સંક્રમિત દર્દીમાં બંધ નાક અથવા વધારે પડતો તાવ જેવા પણ કોઈ લક્ષણો સામે આવ્યા નથી. જેમ કે, ડેલ્ટાના મુખ્ય લક્ષણો હતાં. એટલા માટે ઓમિક્રોન અને ડેલ્ટની વચ્ચે એક બહું મોટું અંતર હોઈ શકે છે.
ઓમિક્રોના 20 લક્ષણો?
યુકેની ZOE એપ જેના પર દર્દીઓ કોવિડના લક્ષણો વિશે જણાવે છે. તેના જણાવ્યા અનુસાર રાતના પરસેવો વળવો, ભૂખ ન લાગવી તથા ઊલ્ટી થવા વિશે દર્દીઓને બતાવામાં આવે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર ઓમિક્રોનના લગભગ 20 લક્ષણો અહીં બતાવામાં આવ્યા છે. જેમ કે...
જો ઉપર જણાવેલ ઓમિક્રોનના અલગ અળગ લક્ષણોમાંથી કોઈ પણ લક્ષણો અનુભવાય તો, તેને ફક્ત સામાન્ય તાવ અથવા ફ્લૂ સમજવાની ભૂલ કરતા નહીં, પણ તેની જગ્યાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લેજો અને રિપોર્ટ આવે ત્યાં સુધી ઘરના લોકોથી અલગ રહેશો અને પોતાની જાતને કોરન્ટાઈન કરી દેવી હિતાવહ છે. લક્ષણો પર ધ્યાન આપતા રહો, દરેક સમયે ઘરમાં માસ્ક પહેરીને રાખો, બીજાના લોકોના સંપર્કમાં આવવાનું ટાળો, જેથી અન્ય લોકોમાં ઈંફેક્શનનો ખતરો રહે નહીં.
એક્સપર્ટ જણાવે છે કે, હાલના સમયમાં વેક્સિનેશન જ ઓમિક્રોનથી બચવા માટેનો સૌથી કારગર રસ્તો છે. જો આપનો રિપોર્ટ નેગેટિવ આવે છે અને આપ એકદમ સ્વસ્થ થઈ ગયા છો, તો વેક્સિન જરૂરથી લગાવી લો. જો પ્રથમ ડોઝ આપે લઈ લીધો છે, તો ચોક્કસ સમયે બીજો ડોઝ પણ લઈ લેશો. જો આપ બૂસ્ટર ડોઝ માટે લાયક છો, તો તેને પણ લગાવી લેશો.