INSACOG કમિટીના ડોક્ટર એન કે અરોરાએ જણાવ્યું કે કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવી અશક્ય છે પરંતુ અગમચેતીના પગલાં ભરીને તેને સીમિત રાખી શકાય છે.
INSACOG કમિટીના ડોક્ટર એન કે અરોરાના દાવો
કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવી અશક્ય છે
અગમચેતીના પગલાં ભરીને તેને સીમિત રાખી શકાય
ડોક્ટર અરોરાએ કહ્યું કે વધારેમાં વધારે વેક્સિનેશન અને કોરોનાના નિયમોનું પાલન કરીને ત્રીજી લહેરને રોકી શકાય છે
ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાય છે અને તેના સ્પાઈક પ્રોટીનમાં મ્યુટેશનને કારણે શરીરની રોગપ્રતિકાર ક્ષમતાને પણ નબળી પાડે છે. આ પહેલાના વેરિયન્ટની તુલનામાં લભગ 40-60 ટકા વધારે ઝડપથી ફેલાય છે. મ્યુટેશનને કારણે તે માનવ કોશિકાઓ પર ઝડપથી પ્રહાર કરે છે. ફેફસા પર તેની વધારે અસર પડી શકે છે
ડેલ્ટા વેરિયન્ટ વેક્સિનની વાયરસને નિષ્ક્રીય કરવાની ક્ષમતાને ઘણી ઓછી કરી નાખે છે.
તેમણે કહ્યું કે B.1.617.2 અથવા ડેલ્ટા વેરિયન્ટ દેશમાં કોરોનાના નવા કેસોમાં 80 ટકા વધારે કોવિડ કેસમાં જોવા મળ્યો છે. 12 રાજ્યોમાંથી લગભગ 60 કેસો સામે આવ્યાં છે. 11 એપ્રિલ 2021 ના રોજ પહેલી વાર તેની ઓળખ થઈ. આ નવા વેરિયન્ટથી અત્યાર સુધી ચાર મોત થયા છે જોકે તેમણે કોઈએ વેક્સિન લીધી નહોતી. ડેલ્ટા વેરિયન્ટ વેક્સિનની વાયરસને નિષ્ક્રીય કરવાની ક્ષમતાને ઘણી ઓછી કરી નાખે છે.
કોરોનાની નવી લહેર નવા વેરિયન્ટ પર આધારિત
કોરોનાની નવી લહેર નવા વેરિયન્ટ પર આધારિત છે. ઓછા વેક્સિનેશનને કારણે સંક્રમણનો વધારે ખતરો રહે છે. અરોરાએ કહ્યું કે કોરોના આપણી આસપાસ જ છે. બીજી લહેર હજુ પણ ચાલુ છે અને ભારતમાં મોટી સંખ્યામાં લોકો ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે. ત્રીજી લહેર અસરકારક રીતે નિયંત્રિત કરીને તેને ટાળી શકાય છે. વધારેમાં વધારે લોકોને વેક્સિન મળી શકે તે પણ મહત્વપૂર્ણ છે.