BJP આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીત નોંધાવા માટે કમર કસી છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક મોટું ભંગાણ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે
વડગામમાં ગાબડું પાડવા ભાજપનો પ્લાન સફળ
કોંગ્રેસના પૂર્વ MLAએ મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે
24 એપ્રિલે ભાજપમાં જોડાય તેવી શક્યતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ પરંતુ ચૂંટણીની તૈયારી તો જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર જીત નોંધાવા માટે કમર કસી છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર વડગામમાં ગાબડું પાડવા ભાજપનો પ્લાન સફળ રહેવા પામી છે. અગામી 24મી એપ્રિલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા ભાજપમાં જોડાશે. તેમજ વડગામ ખાતે શક્તિ પ્રદર્શન યોજી ભાજપમાં જોડાવાની શક્યતા વર્તાઈ રહી છે.
આગામી 10 દિવસ બાદ અશ્વિન કોટવાલ ભાજપમાં પ્રવેશ વિધિ: સૂત્ર
તો બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાઈ શકે છે. મહત્વનું છે કે, પ્રદેશ ભાજપની તારીખ મળતાની સાથે અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા ખાતે શક્તિ પ્રદર્શન યોજી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે. ઉલ્લેખનીય છે કે, કોટવાલના સોગઠા ગોઠવાયા છે પરંતુ વિધિવત જાહેરાતની રાહ જોવાઈ રહી છે. પ્રદેશ ભાજપના ઇન્ડિકેશન પર કોટવાલના ભાજપ પ્રવેશ અંગે રણનીતિ ઘડાશે કોટવાલની સાથે સ્થાનિક ટેકેદારો અને અગ્રણીઓ પણ ભાજપમાં જોડાશે
તાજેતરમાં PM મોદી સાથે મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બનાસકાંઠાના વડગામના પૂર્વ ધારાસભ્ય મણીલાલ વાઘેલાએ PM મોદી સાથે મુલાકાત કરી તે તસવીર પણ સામે આવી છે. જો કે સત્તાવાર હજી તેઓ ભાજપમાં જોડાયા નથી પરંતુ તે અગાઉ તેઓ PM મોદીને મળ્યા. મહત્વનું છે કે મણિલાલ વાઘેલા છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓએ નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતું.