આજના સમયમાં લોકો સૌથી વધુ ધ્યાન ધનવાન થવા માટે વિચાર છે. જો કે ઘણા લોકોને નાણાં મેળવવા માટે કોઈને કોઇ અવરોધ આવે છે. તેથી આજે આપણે અમુક એવી ટિપ્સ વિશે જાણીશું જે વ્યક્તિને ધનવાન બનાવે છે.
- નિયમિતપણે દરેક શુક્રવારે શ્રીસુક્તનો પાઠ અથવા શ્રી લક્ષ્મી સુક્તનું પઠન કરવાથી લક્ષ્મીજીની કાયમી કૃપા ઉપાસક પર વરસે છે.
- ઘરમાં પોતું કરતી વખતે સમુદ્ર મીઠું ભેળવાથી પરિવારમાં ઝઘડા ઘટશે. પાણીમાં મીઠું ઉમેરીને પોતું કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
- દરેક અમાસના દિવસે ઘરની સંપૂર્ણ સફાઈ કરવાથી આર્થિક લાભ થાય છે. સફાઈ કર્યા બાદ મંદિરમાં પાંચ અગરબત્તી પ્રગટાવવી જોઇએ.
- ઘરમાં પૂજા કરતી વખતે મહેમાનો અચાનક ઘરે આવી ચઢે અથવા સાંજેના સમયે પૂજા કરતા સમયે કોઇ પરણિતા આવી ચઢે તો તેને સૌભાગ્ય માનવું.તેનો અર્થ એ થાય છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થયો છે.
- જ્યારે પણ તમે કોઇને દાન આપી રહ્યા હોય ત્યારે દાન સ્વીકારના વ્યક્તિ તમારા આંગણાથી આગળ ના વધે તેનું ખાસ ધ્યાન રાખો.