આપણે બધા માનીયે છીએ કે જો સવારની શરૂઆત સારી થાય તો આખો દિવસ એકદમ મસ્તીભર્યો જાય છે. ક્યારેક આપણને નુકસાન થઇ જાય તો આપણે કહીયે છીએ કે સવાર-સવારમાં કોનુ મોઢુ જોયુ કે નુકસાન થઇ ગયુ. આજે અમે તમને જણાવશું કે સવારમાં કઇ વસ્તુઓ જોવાથી તમને નુકસાન થઇ શકે છે.
ઘણા લોકોને અને ખાસ કરીને મહિલાઓને સવારમાં ઉઠીને તરત જ કાચમાં જોવાની ટેવ હોય છે. જે અશુભ માનવામાં આવે છે. કાચમાં જોવાના બદલે સવારમાં ઉઠીને બંને હાથની હથેળીમાં જોઇને ભગવાનનુ નામ લેવુ જોઇએ. જેથી તમારો આખો દિવસ મસ્ત રહેશે.
આ ઉપરાંત સવારમાં ઉઠીને પોતાનો કે કોઇપણ બીજાનો પડછાયો ન જોવો જોઇએ. પડછાયો જોવાનુ શાસ્ત્રોમાં ખુબ જ અશુભ માનવામાં આવે છે. જો તમે પડછાયો જોશો તો તમારો આખો દિવસ તણાવ અને ટેન્સનમાં વિતશે.
આ ઉપરાંત સવામાં ઉઠતાની સાથે ઘરની બહાર કુતરાઓને ઝગડતા જોવા શાસ્ત્રોમાં ખુબ જ અશુંભ માનવામાં આવે છે. આ સાથે સવાર-સવારથી બીજા જાનવરોની તસ્વીર જોવી પણ અશુંભ માનવામાં આવે છે.
ઘણી મહિલાઓ સવારમાં ઉઠીને પહેલાં જ રસોડામાં જાય છે પરંતુ સવારમાં તેલવાળા વાસણ જોવાથી આખો દિવસ કંટાળા જનક જાય છે. જેથી સવારમાં ગંદા વાસણ ન જોવા જોઇએ.