દેવઉઠી અગિયારસ પછી માંગલિક અને શુભ કાર્ય જેવા કે લગ્ન સમારોહની શરૂઆત થઇ જશે. ઘણા લોકો લગ્ન ન થવા માટે વાસ્તુ ઉપાય કરતા હોય છે તે લગ્ન પછી પણ વાસ્તુનુ ખાસ ધ્યાન આપવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર નવવિવાહિત દંપતીના રૂમમાં કેટલીક વસ્તુઓને લઇને ધ્યાન આપવું જોઇએ જેથી વૈવાહિક જીવનમાં કોઇ સમસ્યા થતી નથી. આવો જાણીએ આવી જ કેટલીક વાસ્તુ ટિપ્સ વિશે...
- વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં માત્ર એક જ ગાદલાનો પ્રયોગ કરવો જોઇએ. પલંગ પર બે ગાદલાનો પ્રયોગ કરવાથી દામપત્ય જીવનમાં દૂરીઓ લાવે છે. નવવિવાહિત કપલે નવા ગાદલાનો જ ઉપયોગ કરવો જોઇએ.
- નવ દંપતીએ પોતાના રૂમમાં પલંગ ઉત્તર ઉત્તર-પૂર્વ અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો અને સાથે જ તાલમેળ અને પ્રેમ માટે પત્નીએ પતિની ડાબી બાજુ સૂઇ જવું જોઇએ. પલંગની નીચે અને રૂમમાં તૂટેલો સામાન હોય તો ફેંકી દેવો જોઇએ.
- રૂમમાં હલ્કા રંગ જેવા કે લાઇટ-બ્લૂ લાઇટ ગ્રીન અથવા તો રોઝ પિંક રંગનો ઉપયોગ કરવો જોઇએ અને સાથે જ પ્રાકૃતિક સૌદર્ય દર્શાવતી તસ્વીરો લગાવવી જોઇએ. લાલ રંગના બલ્બ રૂમમાં ના હોવા જોઇએ જે ઉગ્ર માનવામાં આવે છે અને સંબંધોમાં કડવાશ લાવી શકે છે.
- પતિ-પત્ની જે પલંગનો ઉપયોગ કરે છે ધ્યાન રહે તે પલંગ કોઇ મેટલ કે ધાતુનો બન્યો ના હોય. તમે લાકડાના પલંગનો ઉપયોગ ના કરો. જેનાથી તણાવ નહી આવે. આ સિવાય રૂમમાં વ્યવસ્થિત રાખો અને ગેરજરૂરી વસ્તુઓ રૂમમાં ના રાખો.
- નવદપંતીએ લગ્નના ઓછામાં ઓછા એક વર્ષ સુધી પ્રયત્ન કરવો જોઇએ કે તેમને કોઇ સંતાન ના આવે અથવા તો હીરો ના પહેરો કે હીરાનો ઉયપોગ ઓછો કરવો જોઇએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ સંબંધ બગાડવાનું કામ કરે છે અને સંતાન પ્રાપ્તિ માટે પણ મુશ્કેલી લાવે છે.
- બેડરૂમમાં કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક આઇટમ ના રાખો જેનાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ સાથે જ કોઇ પણ પ્રકારનો છોડ કે પાણીવાળી વસ્તુ ના રાખો જેમ કે માછલી ઘર કે પાણીનો ગ્લાસ જેવી વસ્તુઓ બેડરૂમમાં ના રાખો.
- વાસ્તુ વિજ્ઞાન અનુસાર જે રૂમમાં પતિ-પત્ની રહેવાના હોય ત્યાં પલંગની સામે અરિસો ના રાખવો જોઇએ. જો અરિસો હોય તો બને ત્યાં સુધી તેણે ઢાંકી મૂકી દો.
- નવદંપતીએ ધ્યાનમાં રાખો કે બેડરૂમમાં જૂતા-ચંપલ લઇને ના જાય હંમેશા તેણે બહાર રાખો. આ સિવાય રૂમમાં પાણીને મીઠું નાખીને પોતું કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જશે.