સારી નીંદર લેવા તમે પૈસા ખર્ચીને સારામાં સારો બેડ તૈયાર કરાવો પરંતુ જો બેડ નીચેની જગ્યા ખાલી નહી રાખો તો આર્થિક તંગીનો કરવો પડશે સામનો
બેડ નીચે કોઇ પણ વસ્તુ રાખનારા સાવધાન
નકરાત્મકતા વધારે છે આ વસ્તુઓ
સાવરણી તો ભૂલથી પણ ન મૂકવી
વાસ્તુ પ્રમાણે ઘર હોય તો નેગેટીવીટીને દૂર રાખી શકાય છે. વાસ્તુમાં એવી કેટલીક ટિપ્સ આપવામાં આવી છે કે જેનાથી તમારા ઘરમાં હકારાત્મક એનર્જીનો વધારો થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. અમુક દિશા અને જગ્યા અને કેટલીક વસ્તુઓ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. વાસ્તુમાં અમુક વસ્તુની એનર્જી નક્કી કરવામાં આવી છે. આથી જ લોકો પોતાનું ઘર વાસ્તુ પ્રમાણે ગોઠવવાનો આગ્રહ રાખે છે. વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓ ઘરમાં તો ન જ રાખવી જોઇએ.
પલંગ નીચે ન રાખો આટલી વસ્તુઓ
આજના યુગમાં લોકો ંમોર્ડન ફર્નીચર કરાવે છે. એવુ ફર્નીચર કે જે જગ્યા ઓછી રોકે અને સામાન બધો સમાઇ જાય. તેમાનુ એક છે પેટી પલંગ. પલંગનો પલંગ અને તેની નીચે તમે વસ્તુઓ ગોઠવી શકો છે. પરંતુ શું તમને ખબર છે કે બેડની નીચેની જગ્યામાં ગમે તે વસ્તુઓ ન મૂકવી જોઇએ. આવી વસ્તુઓ મૂકવાથી ઘરમાં નેગેટીવીટી આવે છે. ધન લાભ થતો નથી. ત્યારે જાણીએ એવી કઇ વસ્તુઓ છે જે પલંગની નીચે ભૂલથી પણ ન મૂકવી
ઇલેક્ટ્રોનિક સામાન
જો તમે તમારા પલંગની નીચે ઈલેક્ટ્રોનિક વસ્તુઓ રાખી હોય તો તેને તરત જ કાઢી નાખો. વાસ્તુ અનુસાર આનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તેનાથી ઘરના સભ્યોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ સિવાય અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે.
ફાટેલા કપડા
લોકો પેટીપલંગમાં જૂના અને ફાટી ગયેલા કપડાનું પોટલું બાંધીને મૂકે છે. પરંતુ આમ કરવું વાસ્તુ અનુસાર અશુભ ગણાય છે. જૂના કપડા અને ફાટેલા કપડા તુરંત કાઢી નાંખો તેનો સંગ્રહ ન કરો.આમ કરવાથી ઘરમાં તણાવ, પરેશાનીઓ અને આર્થિક તંગી આવી શકે છે.
કાટ લાગેલું લોખંડ
કાટવાળું લોખંડ પલંગની નીચે ક્યારેય ન રાખવું જોઈએ. તેનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે. તેની સાથે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
પ્લાસ્ટિક વસ્તુઓ
પલંગની નીચે પ્લાસ્ટિકની વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થઈ શકે છે.
સાવરણી
જો તમે પલંગની નીચે સાવરણી રાખી છે, તો તમારી આ આદતને સુધારી લો. વાસ્તુ અનુસાર આનાથી મન પર નકારાત્મક અસર પડે છે. આ સિવાય સ્વાસ્થ્ય અને પૈસાને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
ફૂટવેર, કાચ અને તેલ
ઘણા લોકો જૂતા અને ચપ્પલને સાચવવા માટે બેડની નીચે મૂકી દે છે. પરંતુ આમ કરવાથી રૂમ અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જ પલંગની નીચે કાચ અને તેલ રાખવું વાસ્તુ અનુસાર અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વસ્તુઓને પલંગની નીચે ક્યારેય ન રાખવી જોઈએ.