આમ તો નકારાત્મક શક્તિઓ એટલે કે આત્માઓ જીવીત વ્યક્તિઓથી દૂર રહે છે પરંતુ કેટલીક વખત એવી ચીજો પણ થાય છે જેનાથી એ જીવિત વ્યક્તિઓ તરફ આકર્ષિત થાય છે. આ ચીજો સામાન્ય રીતે લોકોની પાસે મળી જ જાય છે અથવા કેટલીક વખત કંઇક એવી ભૂલ કરી બેસે છે જેનાથી નકારાત્મક શક્તિઓ એમની તરફ ખેંચાઇ આવે છે.
એવું કહેવામાં આવે છે કે સાંજ થયા બાદ છોકરીઓએ ખુલ્લા વાળ રાખવા જોઇએ નહીં. ખાસ કરીને
અમાસની રાતે તો જરાય નહીં. એનાથી નકારાત્મત શક્તિઓ એમની તરફ આકર્ષિત થાય છે.
રાતે ભારે સહંધનું અત્તપ ભૂલથી પણ લગાવશો નહીં કારણ કે તેજ સુંગધથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે.
દેહ સંસ્કાર કર્યા બાદ પાછળ ફરીને જોવું જોઇએ નહીં. પાછળ ફરીને જોવાથી એ તમારી સાથે આવી જાય છે.
ગર્ભવતી સ્ત્રીઓ તરફ નકારાત્મક શક્તિઓ વધારે આકર્ષિત થાય છે. એવું માનવામાં આવે છે કે નવું શરીર મેળવવા માટે એ લોકા એમની તરફ આકર્ષિત થાય છે. એટલા માટે બને તો રાતે 10 વાગ્યા પછી બહાર જવા દેશો નહીં.