સૂર્ય ઉપસાના હિંદૂ ધર્મમાં એક મહત્વપૂર્ણ પરંપરા રહી છે. સૂર્ય આમ તો પ્રત્યક્ષ દેવ ગણાય છે. આધુનિક વિજ્ઞાન અનુસાર પૃથ્વી પર રહેલા તમામ પ્રાણીઓમાં સૂર્યના કારણે પ્રાણ આવે છે. જોકે દેશમાં સૂર્યના મંદિર ખૂબ ઓછા છે અને જે છે તે પૌરાણીક કાળના છે. ત્યારે એક એવું જ પૌરાણીક સૂર્ય મંદિર છે ભારતના બિહાર રાજ્યમાં આવેલુ છે. જ્યાં નહાવા માત્રથી લોકોના શરીરમાં રહેલા ત્વાચા સંબંધી રોગ અને કોઢ કે સફેદ ઢાઘનો રોગ હંમેશ માટે દૂર થાય છે.
બિહારના ઔરંગાબાદ જીલ્લામાં આવેલ આ સૂર્ય મંદિરમાં આમ તો વર્ષ દરમિયાન અનેક શ્રદ્ઘાળુ આવે છે પરંતુ ખાસ કરીને પ્રતિ વર્ષ ચૈત્ર અને કાર્તિક મહિનાની છઠ્ઠી તિથિના દિવસે હજારો લોકો આવીને પવિત્ર સ્નાન કરે છે જે બિહારના મુખ્ય તહેવારમાંથી એક છે આ તહેવાર વર્ષમાં 2 વખત આવે છે.
કહેવાય છે કે આ દુનિયાનું એકમાત્ર પ્રશ્ચિમાભિમુખ સૂર્ય મંદિર છે. આ મંદિર અન્ય સૂર્ય મંદિરોની જેમ પોતાની શિલ્પ શૈલી અને કલાત્મક્તાની સાથે સાથે પોતાના ઇતિહાસ માટે પણ તેટલું જ પ્રસિદ્ઘ છે તેવું માનવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ દેવતાઓના શિલ્પી સ્વયં ભગવાન વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યુ છે.
કાળા અને ભૂરા કલરવા પથ્થરોનું બનેલું આ અદ્ભૂત મમંદિર જો ધ્યાનથી જોવામાં આવે તો પૂરીના જગન્નાથ મંદિર જેવું જ લાગે છે. આ મંદિરના નિર્માણના ઇતિહાસ અંગે એક શ્લોક મંદિરની દિવાલ પર જોવા મળે છે. જે બ્રાહ્મી લિપિમાં લખવામાં આવ્યો છે અને નીચે તેનો સંસ્કૃત અનુવાદ છે. જે મુજબ આ મંદિર ઇલાપુત્ર રાજા એલ દ્વારા ત્રેતાયુગના 12 લાખ 16 હજાર વર્ષ પસાર થઇ ગયા પછી કરાવવામાં આવ્યુ હતુ.
મંદિર બહારથી જેટલું સુંદર છે તેટલું જ અંદરથી ભવ્ય છે. મંદિરમાં 7 ઘોડા જોડેલા સૂર્ય રથ પર સૂર્યના ત્રણેય સ્વરુપ પ્રાતકાળ મધ્યાહન કાળ અને અસ્તકાળની પ્રતિમા છે. મંદિરમાં ભગવાન શિવની પણ એક પ્રતિમા છે જેમાં તેમના સાથળ પર માતા પાર્વતી બેઠા છે. આ દુનિયામાં શિવ-પાર્વતીની દુર્લભ પ્રતિમા છે.
આ મંદિર મુખ્યરુપે બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ગર્ભગૃહ ઉપર કમળના આકારનું શીખર છે. જેના પર સોનાનો કળશ છે. જ્યારે બીજોભાગ મુખમંડપ છે. જેના પર પિરામિડ આકારની છત છે અને ટેકો દેવા માટે સુંદર નકશીદાર સ્તમ્ભ છે. આ સ્તમ્ભ પર કરવામાં આવેલ ખૂબ જ ઝીણી કોતરણી જોતા પ્રાચીન સમયમાં આ કળા કેટલી વિકાસ પામી હશે તેની કલ્પના કરી શકાય છે.
આ મંદરિમાં સ્નાન કરવાથી કોઢ સહિતના ચામડીના રોગ મટી જતા હોવા પાછળ એક પૌરાણીક કથા છે જે અનુસાર એક રાજા ઋષીના શ્રાપના કારણે કોઢના રોગથી ગ્રસ્ત થયો હતો. જે પછી એકવખત શિકાર કરવા માટે નીકળ્યા હતા અને રસ્તો ભૂલી ગયા હતા. તેવામાં ભૂખ્યા થાક્યા રાજાને એક સરોવર દેખાયું. તેણે સરોવરમાં ઉતરીમાં ખોબો ભરીને પાણી પીધુ.પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે શરીરના જે અંગ પર પાણીનો સ્પર્શ થયો તે તમામ જગ્યાઓથી કોઢનો રોગ મટી ગયો હતો. જે બાદ રાજાએ આ સરોવરમાં ડુબકી મારી અને તેના શરીરનો તમામ રોગ દૂર થયો હતો. ત્યારથી અહીં આવેલા કુંડના સ્નાન કરવાની કોઇ પરંપરા છે. . આ કારણે જ પ્રત્યેક વર્ષે લાખો લોકો અહીં સ્નાન કરવા આવે છે.