બ્રિટનમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફર્ડની વેક્સિનથી બ્લડ ક્લોટની સાઇડ ઇફેક્ટની અસર ભારતની કોવીશીલ્ડ પર પણ થઇ છે. જેના કારણે લોકો ગભરાઇ ગયા છે.
કોરોના વેક્સિન બાદ થઇ શકે આડઅસર
સરકારે કર્યા લોકોને સાવધાન
કોરોનાની નવી ગાઇડલાઇન્સ કરી જાહેર
આવામાં સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે હેલ્થ કેર વર્કર્સ અને વેક્સિન લેનારા તમામ લોકો માટે સાઇડ ઇફેક્ટની એડવાઇઝરી જાહેર કરી છે જેમાં લોકોને વેક્સિન લીધાના 20 દિવસની અંદર બ્લડ ક્લોટ્સના લક્ષણોની ઓળખાણ કરવાની અપીલ કરી છે. જો કોઇ ગંભીર લક્ષણ નજર આવે છે તો તાત્કાલિક સેન્ટર પર જઇને ફરિયાદ નોંધાવી લો.
એડવાઇઝરીમાં લોકોને સલાહ આપવામાં આવે છે કે કોઇને પણ વેક્સિન લીધા બાદ તમને માથાનો દુઃખાવો, પેટમાં દુખાવો કે શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણ દેખાય તો વેક્સિન સેન્ટર પર જરૂર રિપોર્ટ કરાવો.
તે સિવાય ઇન્જેક્શનની સાઇડઇફેક્ટ કે શરીરના કોઇ પણ હિસ્સામાં લાલ રંગના ધબ્બા દેખાય તો સચેત થઇ જાઓ. જો તમને માઇગ્રેનની સમસ્યા નથી અને ઉલ્ટી સાથે કે ઉલ્ટી વગર પણ માથામાં સતત દુઃખાવો થાય છે તો વેક્સિનેશન પર રિપોર્ટ કરાવવો જરૂરી છે.
વેક્સિન લીધા બાદ જો કમજોરી કે શરીરનું કોઇ અંગ કામ કરવાનુ બંધ કરી દે અથવા તો કોઇ કારણસર સતત ઉલ્ટી થવી કે પછી આંખોમાં દુઃખાવો કે ધુંધળુ દેખાવુ જેવી સમસ્યા રહે તો પણ મારે વેક્સિનેશન સેન્ટર પર જઇને ફરિયાદ કરવી જોઇએ.
વેક્સિનેશનની ગંભીર સાઇડઇફેક્ટ પર બનેલી રાષ્ટ્રીય સમિતીએ કહ્યું કે ભારતમાં બ્લડ ક્લોટના ખુબ ઓછા કેસ આવ્યા છે પરંતુ તે વેક્સિનેશનથી જોડાયેલા હોઇ શકે. ભારતમાં કોવિશિલ્ડ વેક્સિનની પ્રતિ 10 લાખ ડોઝ પર ડીપ વેન થ્રોમ્બોસિસ કે બ્લડ ક્લોટના માત્ર 0.61 ટકા મામલા જ સામે આવ્યા છે.