ઘણી વખત અજાણ્યામાં આપણે એવી ભૂલો કરી દઈએ છીએ. જેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે અને આપણી આર્થિક સ્થિતિઓ ખરાબ થઈ શકે છે. એવામાં વ્યક્તિ દેવાના બોજ નીચે દબાઈ શકે છે.
વાસ્તુ અનુસાર આ વસ્તુનુ રાખો ધ્યાન
નહીં તો થઈ જશો કંગાળ
જાણો તમારે શું ન કરવી જોઈએ ભૂલ
આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે લોનનો સહારો લે છે. મોંઘવારી વચ્ચે, મર્યાદિત માસિક આવક સાથે તમામ જરૂરિયાતો પૂરી કરવી શક્ય નથી. એટલા માટે લોકો વારંવાર લોનનો સહારો લે છે. લોન વ્યક્તિ પાસેથી લેવામાં આવી હોય કે બેંકમાંથી, તે એક બોજ સમાન છે. જેને દરેક વ્યક્તિ જલ્દીથી જલ્દી દૂર કરવા માંગે છે.
પરંતુ ઘણી વખત પરિસ્થિતિ એવી બની જાય છે કે વ્યક્તિ ઈચ્છા છતાં પણ દેવું ચૂકવી શકતો નથી અને તેના બોજ હેઠળ દટાઈ જાય છે. જ્યોતિષીઓના મતે કેટલીકવાર વાસ્તુ દોષના કારણે પણ આવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે. અજાણતાં આપણે કેટલીકવાર એવી ભૂલો કરી બેસીએ છીએ. જેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને તેનાથી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે અને આપણા પર દેવાનો બોજ વધી જાય છે. આ સિવાય બીજી ઘણી સમસ્યાઓ પણ જીવનમાં આવે છે. જાણો એવી ભૂલો વિશે જેના કારણે વાસ્તુ દોષ થાય છે.
પથારીમાં ભોજન કરવું
કેટલીકવાર આપણે આપણા આરામ માટે પથારીમાં ભોજન કરીએ છીએ. પરંતુ વાસ્તુ અનુસાર તેને યોગ્ય માનવામાં આવતું નથી. પથારીમાં ખોરાક ખાવાથી રોગો થાય છે અને ધનની હાનિ થાય છે. આવા લોકો માટે સફળતામાં વારંવાર અવરોધો આવે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી રહેતી.
ગંદા વાસણો
રાત્રે ગંદા વાસણો મુકી રાખવા પણ સારા નથી માનવામાં આવતા. તેનાથી પણ વાસ્તુ દોષો સર્જાય છે. તેથી રાત્રે રસોડામાં ગંદા વાસણો ન મુકી રાખો. જો તમે વાસણ સાફ કરી શકો તેનો સમય નથી તો તેમાંથી એઢવાડ કાઢી નાખો.
ખાલી પાણીની ડોલ
બાથરૂમ કે રસોડામાં પાણીની ડોલ ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. જો ડોલ ખાલી પણ છે જો તેને ઉંધી મુકી દો અથવા તો તેને કોઈ વાસણથી ઢાંકી દો. ખાલી ડોલ જીવનમાં આર્થિક સમસ્યાઓ લાવે છે. બીજી તરફ ડોલ ભરેલી રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
પ્રવેશદ્વાર નજીક કચરાપેટી
ઘરનું પ્રવેશદ્વાર હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. એવું કહેવાય છે કે ત્યાંથી જ દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. પરંતુ ઘણા લોકો તેમના પ્રવેશદ્વાર પર ડસ્ટબીન રાખે છે. તે તમારા માટે અનુકૂળ હોઈ શકે છે પરંતુ વાસ્તુના દૃષ્ટિકોણથી તે સારું નથી.
સાંજે ઉધાર આપવું
સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને પૈસા, દૂધ, દહીં, મીઠું ન આપવું જોઈએ. તેનાથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. આ સિવાય સૂર્યાસ્ત સમયે ઘરના દરવાજા બંધ રાખવાથી પણ આર્થિક સ્થિતિ બગડે છે.