તમામ લોકોના ઘરમાં એક તિજોરી હોય છે જેમાં લોકો પોતાનો કિંમતી સામાન અને રૂપિયા રાખે છે. દરેક લોકોની ઇચ્છા હોય છે કે તિજોરી હંમેશામાં રૂપિયાથી ભરેલી રહે. આજે અમે તમને કેટલાક એવા ચમત્કારી ઉપાયો બતાવવા જઇ રહ્યા છીએ જેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ જશે અને તમારા ઘરમાં લક્ષ્મીજીની કૃપા રહેશે. જાણો આ ઉપાયો વિશે...
તમારી તિજોરીમાં એક પીપળાના પાન પર દેશી ઘી અને લાલ સિંદૂરને ભેગુ કરીને ऊँ લખો. આ પાનને તિજોરીમાં ત્યાં રાખો જ્યાં તમે રૂપિયા મૂકો છો. આ ઉપાય સતત 5 શનિવાર સુધી કરો જેથી તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થઇ જશે.
તમારા ગલ્લા અથવા તો તિજોરીમાં એક નારિયેળને લાલ કપડાંમાં રાખીને મૂકો જ્યાં રૂપિયા રાખો ત્યાં મૂકી દો. આ ઉપાયથી ઘનમાં વૃદ્ઘિ થશે.
તમારી તિજોરીની અંદર અગિયાર કાળા ગૂંજાના દાણા પવિત્ર કરીને મૂકી દો. આ સિવાય હંમેશા ધન મૂકતી જગ્યા અને તિજોરીમાં લાલ કપડું પાથરો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાઇ નિવાસ થાય છે.
શુક્રવારના દિવસે એક પીળા કપડામાં થોડું કેસર 5 કોડીને ચાંદીના સિક્કાની સાથે બાંધીને તિજોરીમાં રાખો. આ સાથે જ થોડું હળદર પણ મૂકો. આ ઉપાયની અસર થોડા સમયમાં થવા લાગશે.
તમારી તિજોરીમાં હંમેશા એક 10-10 નોટોની બંડલ રાખો.આમ કરવાથી તમારા ઘરમાં હંમેશા પ્રગતિ થશે. આ સિવાય તમે ઇચ્છો તો પિત્તળ અને તાંબાના સિક્કા પણ રાખી શકો છો.