ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મૃત્યુ એક એવું સત્ય છે જેને તમે ટાળી પણ ના શકો અને દૂર પણ ના કરી શકો. જે મનુષ્યએ જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. સૃષ્ટિના આ નિયમથી માત્ર મનુષ્ય જ નહીં ભગવાન પણ બંધાયેલા છે. એટલે જ તો ભગવાને જ્યારે-જ્યારે મનુષ્યના રૂપમાં જન્મ લીધો છે ત્યારે તેમણે પણ શરીરનો ત્યાગ કરવો પડ્યો છે. જોકે મનુષ્યની વિનંતી પર યમરાજે તેની મૃત્યુ પહેલા તેને 4 સંકેત આપવાનો વચન આપ્યો હતો જેનું પાલન આજે પણ તે કરે છે. ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ નજીક આવવા પર યમરાજ વ્યક્તિને કેટલાક ખાસ સંકેત પણ આપે છે જે તેને અહેસાસ કરાવે છે કે હવે તેનો સમય પૂરો થઈ ચૂક્યો છે તેણે પોતાના શરીરનો ત્યાગ કરવાનો છે. આ સંકેત ક્યા છે તે જાણીએ.
- જ્યારે ઉંમર વધવા લાગે છે ત્યારે સૌથી પહેલા વ્યક્તિના વાળ સફેદ થવા લાગે છે. વાસ્તવમાં આ પહેલો સંકેત માનવામાં આવે છે કે હવે ઉંમર વધી રહી છે મોહ-માયાથી બહાર નીકળવાનું શરૂ કરી દો.
- જ્યારે ઉંમર વધે છે ત્યારે વ્યક્તિના દાંત પડવા લાગે છે. દાંત પડવા એ દર્શાવે છે કે વ્યક્તિનું શરીર કહી રહ્યું છે કે મને મુક્તિની જરૂર છે મારો હવે મોહ ન કરો.
- ત્રીજો સંકેત છે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો નબળી પડી જાય છે વ્યક્તિના સાંભળવાની અને જોવાની ક્ષમતા ઓછી થવા લાગે છે. આ સમયે યમરાજ કહે છે હવે દુનિયાની વાતો સાંભળવાનું છોડી આત્મ ચિંતન અને મનન કરો જેથી મુક્તિમાં પરેશાની ન આવે.
- ચોથો સંકેત વ્યક્તિની કમર નમી જાય છે. શરીર પોતાનો ભાર સહન કરવા માટે પણ અસમર્થ થઈ જાય છે અને તેને સહારો લેવાની જરૂર પડે છે. યમરાજ સમજાવે છે કે બહારનો સહારો લેવાની જગ્યાએ ઈશ્વરનો સહારો લો તે જ તમને કર્મોના ફળથી ઉત્તમ લોકમાં સ્થાન અપાવી શકે છે. જે મનુષ્ય યમરાજના આ 4 સંકેત નથી સમજી શકતો તે જ વ્યક્તિ નરકમાં જઈને યમરાજનો દંડ ભોગવે છે.
ઘણી વખત અકાળ મૃત્યુના કારણે વ્યકિત મોતને પ્રાપ્ત થાય છે પરંતુ એવામાં પણ સંકેતો પ્રાપ્ત થાય છે જેના ઉપર ધ્યાન આપીએ તો જાણી શકાય કે મૃત્યુ નજીક છે.
- મૃત્યુ નજીક આવવા પર વ્યક્તિની આંખોની રોશની ખતમ થઈ જાય છે અને તેને પોતાની આજુબાજુ બેઠેલા લોકો પણ નજર નથી આવતા.
- જે વ્યકિત સારા કે ખરાબ કર્મો કર્યા છે આ તમામ કર્મો વ્યકિતની આંખો સામેથી એવી રીતે પસાર થાય છે જેણે તમે એક ફિલ્મને રિવર્સ જોઇ રહ્યા હોવ એટલે કે જીવનના અંતિમ કર્મથી લઇને જન્મ સુધી તમામ ઘટનાઓ આંખોની સામે તરતી હોય છે.
- જેના કર્મ સારા હોય છે તેને પોતાની સામે એક દિવ્ય પ્રકાશ દેખાઈ છે અને વ્યક્તિ મૃત્યુના સમયે પણ ગભરાતો નથી.
- ગરૂડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે ત્યારે યમના 2 દૂત મરનાર વ્યક્તિની સામે આવીને ઊભા થઈ જાય છે.
- જેમના કર્મ સારા નથી હોતા તેમને પોતાની સામે યમના ભયંકર દૂત ઊભા દેખાય છે અને તે ગભરાતો હોય છે.
- શરીર ત્યાગ કરવાના અંતિમ સમયમાં વ્યક્તિનો અવાજ પણ ખતમ થઈ જાય છે અને તે બોલવાના પ્રયાસ કરે છે પરંતુ બોલી નથી શકતો. અવાજ રૂંધાવા લાગે છે જાણે કોઈએ ગળું દબાવી રાખ્યું હોય.
- આત્મા જીવનની તમામ ઘટનાઓને એટલે કે કર્મોને પોતાની સાથે લઈને શરીરનો ત્યાગ કરી દે છે અને યમદૂત વ્યક્તિના અભૌતિક શરીરને પોતાની સાથે લઈને યમરાજના દરબારની તરફ લઈ જાય છે.